ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આત્મારામ ભિડેનું મૃત્યુ થયું? આગની જેમ આ સમાચાર ફેલાતાં મંદારે સામે આવીને સચ્ચાઈ કહી

આત્મારામ ભિડેનું મૃત્યુ થયું? આગની જેમ આ સમાચાર ફેલાતાં મંદારે સામે આવીને સચ્ચાઈ કહી

18 May, 2022 11:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ શોમાં ભિડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવડકરનું મૃત્યુ થયું હોવાની ચર્ચા ચાલી રહી છે.

મંદાર ચાંદવડકર

મંદાર ચાંદવડકર

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ શોમાં ભિડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવડકરનું મૃત્યુ થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ વાતને મંદારે એક વિડિયો શૅર કરીને અફવા ગણાવી છે. આ પહેલાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેશ લોઢા પણ શો છોડી રહ્યા છે એ વાત બહાર આવી હતી. મંદારે સોશ્યલ મીડિયા પર લાઇવ આવીને કહ્યું હતું કે ‘નમસ્તે, તમે બધા કેમ છો? આશા રાખું છું કે તમારું કામ પણ સારું ચાલી રહ્યું હશે. હું પણ કામ કરી રહ્યો છું. એક ન્યુઝ છે જેને લોકો ફોર્વર્ડ કરી રહ્યા છે. આથી મેં લાઇવ આવવાનું નક્કી કર્યું છે. સોશ્યલ મીડિયા પર આજકાલ ન્યુઝ ખૂબ જ આગની ઝડપે ફેલાય છે. હું બસ, એટલું કહેવા માગું છું કે હું શૂટિંગ કરી રહ્યો છું અને મારી જાતને એન્જૉય કરી રહ્યો છું. જોકે જેણે પણ ખોટા ન્યુઝ ફેલાવ્યા હોય એને વિનંતી કરું છું કે તે આવા ન્યુઝ ન ફેલાવે. ભગવાન તેને ‘સદ્બુદ્ધિ’ આપે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક આર્ટિસ્ટ એકદમ સારા અને ખુશ છે. તેઓ દર્શકો માટે ભવિષ્યમાં ખૂબ જ સારું કામ કરી તેમને એન્ટરટેઇન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.’


18 May, 2022 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK