શું એવી કોઈ વ્યક્તિ હોઈ શકે જેને એક્સરસાઇઝ કરવાથી શરીરના પ્રૉબ્લેમ્સ વધી જાય? અથવા કોઈનું શરીર એક્સરસાઇઝ ખમી ન શકે કે એક્સરસાઇઝ કરવા સક્ષમ ન હોય એવું બને?
પ્રતીકાત્મક તસવીર
કોઈ પણ વ્યક્તિએ સ્વાસ્થ્ય જાળવવા માટે દરરોજ ૪૫ મિનિટ એક્સરસાઇઝ કરવી જ જોઈએ. એક્સરસાઇઝ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. પરંતુ શું એવી કોઈ વ્યક્તિ હોઈ શકે જેને એક્સરસાઇઝ કરવાથી શરીરના પ્રૉબ્લેમ્સ વધી જાય? અથવા કોઈનું શરીર એક્સરસાઇઝ ખમી ન શકે કે એક્સરસાઇઝ કરવા સક્ષમ ન હોય એવું બને? સાંભળવામાં આ વાત કાલ્પનિક લાગે છે, પરંતુ એ હકીકત છે. આ અવસ્થાને એક્સરસાઇઝ ઇનટૉલરન્સ કહે છે.



