Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભૂલથી ગેરહાજર થઈને નાપાસ થયેલી ગુજરાતની વિદ્યાર્થિનીને સરકારે પાસ કરી

ભૂલથી ગેરહાજર થઈને નાપાસ થયેલી ગુજરાતની વિદ્યાર્થિનીને સરકારે પાસ કરી

Published : 15 May, 2025 08:36 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરીક્ષા આપી હોવા છતાં પોતાની ભૂલથી ગેરહાજર થઈને નાપાસ થયેલી ગુજરાતની વિદ્યાર્થિનીને સરકારે પાસ કરી

શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ અંકિશા પરમારને પાસ જાહેર કરીને શુભકામના પાઠવી હતી

શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ અંકિશા પરમારને પાસ જાહેર કરીને શુભકામના પાઠવી હતી


ગુજરાતમાં તાજેતરમાં આવેલા ધોરણ ૧૦ના રિઝલ્ટમાં છોટાઉદેપુર જિલ્લાની અંકિશા પરમારે પરીક્ષા આપી હોવા છતાં તેને ગેરહાજર દર્શાવી નાપાસ જાહેર કરવામાં આવી હતી. જો કે શિક્ષણ વિભાગે હાથ ધરેલી તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે આ વિદ્યાર્થિનીએ ગેરસમજને કારણે પોતાના બેઠક-નંબર ૭૩ને બદલે અન્ય બેઠક-નંબર ૭૧ પરથી પરીક્ષા આપતાં ગોટાળો સર્જાયો હતો. શિક્ષણ વિભાગે વિદ્યાર્થિનીએ આપેલી પરીક્ષાનાં પેપરો ચેક કરતાં તે પાસ હતી. એટલે ગઈ કાલે તેને ગુજરાતના શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ પાસ જાહેર કરીને, પ્રોત્સાહિત કરીને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2025 08:36 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK