Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કુદરતી આફતમાં ભારતે લંબાવ્યો મદદનો હાથઃ ૧૦૦૦ તંબુ અને ૧૫ ટન ખાદ્ય સામગ્રી મોકલી

કુદરતી આફતમાં ભારતે લંબાવ્યો મદદનો હાથઃ ૧૦૦૦ તંબુ અને ૧૫ ટન ખાદ્ય સામગ્રી મોકલી

Published : 03 September, 2025 09:35 AM | IST | Kabul
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધરતીકંપને કારણે અફઘાનિસ્તાનમાં મરણાંક ૧૪૧૧, ૩૧૨૪ લોકો ઘાયલ અને ૫૪૧૨ ઘરો ધરાશાયી

ભૂકંપ પછી અફઘાનિસ્તાનના નઝર દારા ગામમાં મિલિટરીએ હેલિકૉપ્ટરથી ઇન્જર્ડ લોકોને બહાર કાઢવાનું બચાવકાર્ય હાથ ધર્યું હતું.

ભૂકંપ પછી અફઘાનિસ્તાનના નઝર દારા ગામમાં મિલિટરીએ હેલિકૉપ્ટરથી ઇન્જર્ડ લોકોને બહાર કાઢવાનું બચાવકાર્ય હાથ ધર્યું હતું.


અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે કાબુલને ૧૦૦૦ તંબુ પહોંચાડ્યા છે. ભારતીય મિશન દ્વારા ૧૫ ટન ખાદ્ય સામગ્રી કાબુલથી કુનાર મોકલવામાં આવી હતી. ભારત તરફથી વધુ રાહતસામગ્રી ટૂંક સમયમાં મોકલવામાં આવશે. આ જાણકારી વિદેશપ્રધાન એસ. જયશંકરે આપી હતી.




ભારતે અફઘાનિસ્તાન રવાના કરેલી ટેન્ટ અને ખાદ્ય સામગ્રીની ટ્રકો.


તેમણે અફઘાનિસ્તાનના વિદેશપ્રધાન મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે વાતચીત કરી હતી. ૬ની તીવ્રતાના ભૂકંપમાં ૧૪૧૧થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કાટમાળમાંથી બચાવાયેલા ૩૧૨૪ લોકો ઘાયલ છે. આ ભૂકંપ એટલો તીવ્ર હતો કે ૫૪૧૨થી વધુ ઘરો ધરાશાયી થઈ ગયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2025 09:35 AM IST | Kabul | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK