Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા-ભારત કરાર ટૂંક સમયમાં થશે: વ્હાઇટ હાઉસે કહ્યું… ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે સારા સંબંધો છે

અમેરિકા-ભારત કરાર ટૂંક સમયમાં થશે: વ્હાઇટ હાઉસે કહ્યું… ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે સારા સંબંધો છે

Published : 01 July, 2025 10:47 AM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

India-US Trade Deal announcement soon: વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાઢ સંબંધો છે; અમેરિકન રાષ્ટ્રપતિ QUAD બેઠક માટે ભારત આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર


ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી, ભારત (India) અને અમેરિકા (America) વચ્ચેના સંબંધો પર પ્રશ્નો ઉભા થયા હતા. ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના યુદ્ધવિરામના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો, ત્યારબાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કદાચ ટ્રમ્પ હવે ભારત સામે કડક વલણ અપનાવી શકે છે. પરંતુ વ્હાઇટ હાઉસ (White House)એ આ અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. વ્હાઇટ હાઉસના મીડિયા સેક્રેટરી કેરોલિન લેવિટ (Karoline Leavitt)એ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે સારા સંબંધો છે. આ સાથે, તેમણે ઇન્ડો-પેસિફિકમાં ભારતની ભૂમિકાની પણ પ્રશંસા કરી છે. એટલું જ નહીં, વ્હાઇટ હાઉસે ભારત-અમેરિકા વેપાર કરાર (India-US Trade Deal announcement soon) વહેલા પૂર્ણ થવાની પુષ્ટિ કરી અને ભારતને એક વ્યૂહાત્મક સાથી ગણાવ્યું.


વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સોમવારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધો (India-America relations), બન્ને દેશ વચ્ચે વેપાર કરાર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો વિશે પણ વાત કરી છે.



પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના મજબૂત વ્યક્તિગત સંબંધોની પણ પ્રશંસા કરી હતી. પત્રકારોના પ્રશ્નોના જવાબમાં લેવિટે કહ્યું, ‘તેઓ આ કરારોને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે, અને તમે ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ અને તેમની વેપાર ટીમ તરફથી ભારત અંગેના સમાચાર સાંભળશો.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના વડા પ્રધાન મોદી સાથે ખૂબ સારા સંબંધો છે, જે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.’


ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે, ‘ભારત સાથેનો વેપાર સોદો લગભગ તૈયાર છે.’ આ અંગે લેવિટે કહ્યું, ‘હા, રાષ્ટ્રપતિએ ગયા અઠવાડિયે આવું કહ્યું હતું અને તે હજુ પણ સાચું છે. મેં હમણાં જ વાણિજ્ય સચિવ સાથે આ વિશે વાત કરી છે. તેઓ રાષ્ટ્રપતિ સાથે ઓવલ ઓફિસમાં હતા. તેઓ આ કરારોને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે અને તમે ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ અને તેમની વેપાર ટીમ તરફથી ભારત અંગે જાહેરાત સાંભળશો.’ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટ્રેડ ટીમ તેમની ભારત મુલાકાત દરમિયાન જ આ અંગે જાહેરાત કરી શકે છે.

જ્યારે ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર (Indo-Pacific region)માં ચીનના વધતા પ્રભાવ અને ભારત-અમેરિકા સંબંધો પર તેની અસર વિશે પૂછવામાં આવ્યું ત્યારે લેવિટે સ્પષ્ટ જવાબ આપ્યો, ‘ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનો ખૂબ જ વ્યૂહાત્મક સાથી છે અને રાષ્ટ્રપતિની વડા પ્રધાન મોદી સાથે ખૂબ જ સારી મિત્રતા છે, જે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.’


આ ઉપરાંત, એ પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ વર્ષે નવી દિલ્હી (New Delhi)માં યોજાનારી ક્વાડ સમિટ (Quadrilateral Security Dialogue Summit - QUAD)માં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. ટ્રમ્પે આમંત્રણ સ્વીકાર્યું અને કહ્યું કે તેઓ ભારતની મુલાકાત લેવા માટે ઉત્સાહિત છે.

તમને જણાવી દઈએ કે, ક્વાડ (QUAD) વિશે વાત કરીએ તો તે ચાર દેશો – ઓસ્ટ્રેલિયા (Australia), ભારત, જાપાન (Japan) અને અમેરિકા વચ્ચે રાજદ્વારી ભાગીદારીનું ઉદાહરણ છે. જેનો ઉદ્દેશ્ય હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા જાળવવાનો છે. આ જૂથની રચના ૨૦૦૪માં હિંદ મહાસાગરમાં સુનામી પછી કરવામાં આવી હતી.

ભારતના વિદેશ સચિવ (Foreign Secretary of India) વિક્રમ મિશ્રી (Vikram Misri)એ એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, ‘પીએમ મોદીએ ક્વાડની આગામી બેઠક માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભારત આમંત્રણ આપ્યું છે. આમંત્રણ સ્વીકારતા ટ્રમ્પે કહ્યું કે તેઓ ભારતની મુલાકાત લેવા માટે ઉત્સાહિત છે.’

તમને જણાવી દઈએ કે કેરોલિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) QUAD બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રવાસે છે. તાજેતરમાં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં આતંકવાદ તરફ સૌનું ધ્યાન દોરવા માટે એક પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કર્યું છે, જેનું નામ છે - ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ (The Human Cost of Terrorism).

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 10:47 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK