Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો : ૮૫૪ મૃત્યુ, ૨૦ લાખનું સ્થળાંતર, ૨૨૦૦ ગામ ડૂબ્યાં

પાકિસ્તાનમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો : ૮૫૪ મૃત્યુ, ૨૦ લાખનું સ્થળાંતર, ૨૨૦૦ ગામ ડૂબ્યાં

Published : 02 September, 2025 11:14 AM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે જૂનથી અત્યાર સુધીમાં આશરે ૮૫૪ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૦૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો

પાકિસ્તાનમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો


ભારતથી વહેતી રાવી, સતલજ અને ચિનાબ નદીઓમાં પૂર આવતાં એક તરફ ભારતના પંજાબમાં ભારે પૂરની પરિસ્થિતિ છે ત્યારે આ નદીઓનું પાણી પાકિસ્તાનના પંજાબમાં જતાં ત્યાં પણ લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. પાકિસ્તાનના પંજાબમાં ૨૨૦૦ ગામ ડૂબી ગયાં છે અને આશરે ૨૦ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાનો વારો આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોની સાથે લાહોર જેવું શહેર પણ ડૂબી ગયું છે. પાણીની આવક સતત વધતી રહેતાં અનેક વિસ્તારોમાં સુપર ફ્લડની ઍલર્ટ આપવામાં આવી છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે જૂનથી અત્યાર સુધીમાં આશરે ૮૫૪ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૦૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2025 11:14 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK