Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાદર ટર્મિનસના પાર્કિંગ-લૉટમાં આગ લાગતાં વાહનોને નુકસાન

દાદર ટર્મિનસના પાર્કિંગ-લૉટમાં આગ લાગતાં વાહનોને નુકસાન

Published : 04 September, 2025 11:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ નાનાં ફાયર-એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ આગ કાબૂમાં આવી નહોતી

દાદર ટર્મિનસના પાર્કિંગ-લૉટમાં આગ લાગતાં વાહનોને નુકસાન

દાદર ટર્મિનસના પાર્કિંગ-લૉટમાં આગ લાગતાં વાહનોને નુકસાન


ગઈ કાલે મોડી સાંજે દાદર-ટર્મિનસના પાર્કિંગ-લૉટમાં આગ લાગી હતી. પ્લૅટફૉર્મ નંબર ૧૪ની બહાર આગ લાગતાં મુસાફરો અને પ્લૅટફૉર્મ પર હાજર રેલવેના કર્મચારીઓ ગભરાયા હતા. રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ નાનાં ફાયર-એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ આગ કાબૂમાં આવી નહોતી. ફાયર-બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ કાબૂમાં લીધી હતી. પાર્કિંગ-લૉટની બાઉન્ડરી પર કોઈ કારણસર આગ લાગી હતી જે ત્યાં પાર્ક કરેલાં વાહનોમાં ઝડપથી ફેલાઈ હતી. એનો ગાઢ ધુમાડો રેલવે-પ્લૅટફૉર્મમાં પણ ફેલાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી, પણ અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. આગ લાગવાનું કારણ શોધવા માટે રેલવે-પ્રશાસને તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2025 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK