Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પ્લેનના પ્રવાસીઓને મળી રાહત, ૪૮ કલાકની અંદર ટિકિટ કૅન્સલ થઈ શકશે

પ્લેનના પ્રવાસીઓને મળી રાહત, ૪૮ કલાકની અંદર ટિકિટ કૅન્સલ થઈ શકશે

Published : 05 November, 2025 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

DGCAએ જણાવ્યું છે કે એક વાર નવા નિયમો લાગુ થયા પછી મુસાફરો પાસે બુકિંગ પછી ૪૮ કલાકનો ‘લુક-ઇન વિકલ્પ’ હશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફ્લાઇટની ટિકિટ કૅન્સલ કરવાના વર્તમાન નિયમો વિશે મુસાફરોમાં લાંબા સમયથી ફરિયાદો વધી રહી છે. રીફન્ડ મળવામાં ઘણી વાર અઠવાડિયાંઓનો સમય લાગે છે અને કૅન્સલેશન ચાર્જ એટલા બધા વધારે છે કે ટિકિટ કૅન્સલ કરવી ઘણી વાર નુકસાનકારક બની જાય છે. જોકે ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)નો એક નવો પ્રસ્તાવ આ સમસ્યાને મોટા ભાગે દૂર કરશે. DGCAએ જણાવ્યું છે કે એક વાર નવા નિયમો લાગુ થયા પછી મુસાફરો પાસે બુકિંગ પછી ૪૮ કલાકનો ‘લુક-ઇન વિકલ્પ’ હશે. આ સમય દરમ્યાન મુસાફરો કોઈ પણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ કૅન્સલ કરી શકે છે અથવા એમાં ફેરફાર કરી શકે છે. જોકે જો કોઈ મુસાફર નવી ફ્લાઇટ પસંદ કરે છે તો તેની પાસેથી પ્રવર્તમાન ભાડું વસૂલ કરવામાં આવશે. બુકિંગની તારીખના પાંચ દિવસ (ડોમેસ્ટિક ફ્લાઇટ્સ) અથવા ૧૫ દિવસ (ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ)ની અંદર મુસાફરીની તારીખો ધરાવતી ફ્લાઇટ્સ પર આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. 


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2025 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK