Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દહેશતગ્રસ્ત શિરુરમાં એક દીપડો પાંજરે પુરાયો

દહેશતગ્રસ્ત શિરુરમાં એક દીપડો પાંજરે પુરાયો

Published : 05 November, 2025 08:50 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણે જિલ્લાના શિરુર તાલુકામાં બે દિવસ પહેલાં દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર ૧૩ વર્ષના ટીનેજરની ડેડ-બૉડી જે વિસ્તારમાંથી મળી આવી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પુણે જિલ્લાના શિરુર તાલુકામાં બે દિવસ પહેલાં દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર ૧૩ વર્ષના ટીનેજરની ડેડ-બૉડી જે વિસ્તારમાંથી મળી આવી હતી ત્યાંથી જ એક દીપડાને પકડવામાં આવ્યો છે. મંગળવારે પકડાયેલા દીપડાએ જ ટીનેજર પર હુમલો કર્યો હતો એવું સાબિત થયું નથી. DNA પ્રોફાઇલિંગ બાદ હુમલાખોર દીપડો છે કે નહીં એ સાબિત થશે એમ વનવિભાગના એમ અધિકારી જણાવ્યું હતું.

પિંપરખેડ વિસ્તારમાંથી લગભગ પાંચથી ૬ વર્ષના નર દીપડાને પકડવામાં આવ્યો હતો. દીપડો વનવિભાગના ગોઠવેલા પાંજરામાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ એનાં DNA સૅમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. છેલ્લા મહિનામાં ૩ લોકો પર એક જ દીપડાએ હુમલો કર્યો હતો કે કેમ એ પણ જાણવામાં આવશે.



પાંજરાંઓ માટે ૧૦ કરોડનું ભંડોળ


શિરુર, જુન્નર, ખેડ, આંબેગાંવ જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં દીપડાઓને પકડવા માટે તાત્કાલિક ૨૦૦ પાંજરાં ગોઠવવામાં આવશે તેમ જ યુદ્ધના ધોરણે બીજાં ૧૦૦૦ પાંજરાં મેળવવામાં આવશે. એના માટે ૧૦ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં દીપડાની સંખ્યા કાબૂમાં લેવા દીપડાઓનું ખસીકરણ કરવા ઉપરાંત એમને અન્ય સ્થળે ખસેડવાની યોજનાને મંજૂરી માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2025 08:50 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK