Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Covid-19 Update: મુંબઈમાં કોવિડ-19ના 1858 કેસ, 13ના નિધન

Mumbai Covid-19 Update: મુંબઈમાં કોવિડ-19ના 1858 કેસ, 13ના નિધન

26 January, 2022 09:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી રોજના 2000થી ઓછા કેસ સામે આવી રહ્યા છે. નવા કેસની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1040363 જ્યારે મૃતક સંખ્યા 16,569 થઈ ગઈ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1858 નવા કેસ આવ્યા તેમજ 13 દર્દીઓના નિધન થઈ ગયા. બૃહ્નમુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ એક જાહેરાતમાં આ માહિતી આપી.

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી રોજના 2000થી ઓછા કેસ સામે આવી રહ્યા છે. નવા કેસની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1040363 જ્યારે મૃતક સંખ્યા 16,569 થઈ ગઈ છે.



બીએમસી પ્રમાણે બુધવારે 1656 લોકોને હૉસ્પિટલમાંથી રજા મળવાની સાથે અત્યાર સુધી સ્વસ્થ થઈ ચૂકેલા દર્દીઓની સંખ્યા વધીને 998698 થઈ ગઈ છે. મુંબઈમાં હાલ 22364 દર્દી સારવારહેઠળ છે. છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 42315 સેમ્પલ્સની ટેસ્ટિંગ કરવામાં આવી અને અત્યાર સુધી કુલ 15088261 સેમ્પલની ટેસ્ટિંગ થઈ ચૂકી છે.


મુંબઈમાં કોવિડ-19થી સ્વસ્થ થનારાનો દર 96 ટકા છે. પરિસરમાં પાંચથી વધારે દર્દીઓને સંક્રમિત થયા બાદ બીએમસીએ 27 ઇમારતો સીલ કરી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2022 09:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK