Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણમાં નવજાત બાળકીને કચરાના ઢગલામાં ત્યજી દેવાઈ

કલ્યાણમાં નવજાત બાળકીને કચરાના ઢગલામાં ત્યજી દેવાઈ

Published : 19 August, 2025 03:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે સવારે બારાવે ગામમાં પડેલા કચરાના ઢગલા પાસેથી પસાર થતા લોકોને નાના બાળકના રડવાનો અવાજ આાવ્યો હતો

કલ્યાણમાં નવજાત બાળકીને કચરાના ઢગલામાં ત્યજી દેવાઈ

કલ્યાણમાં નવજાત બાળકીને કચરાના ઢગલામાં ત્યજી દેવાઈ


કલ્યાણ-પશ્ચિમના બારાવે ગામમાં કચરાના ઢગલામાંથી ગૂણીમાં લપેટાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકીને સ્થાનિકોએ બચાવીને પોલીસને સુપરત કરી છે.


રવિવારે સવારે બારાવે ગામમાં પડેલા કચરાના ઢગલા પાસેથી પસાર થતા લોકોને નાના બાળકના રડવાનો અવાજ આાવ્યો હતો. તપાસ કરતાં તેમને કોથળામાં લપેટાયેલી નવજાત બાળકી મળી આવી હતી. સ્થાનિકોએ તરત જ બાળકીને કોથળામાંથી કાઢીને ખડકપાડા પોલીસને સોંપી હતી. પોલીસે તેને કલ્યાણની રૂક્ષ્મણિબાઈ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી. ડૉક્ટરોએ બાળકી સ્વસ્થ હોવાનું જણાવતાં તેને વસંત વૅલી આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવી છે.



પુત્રી હોવાને કારણે અથવા અનૈતિક સંબંધો હોવાને કારણે નવજાત બાળકીને તરછોડાઈ હોય એવી શંકા વ્યક્ત કરીને ખડકપાડા પોલીસે બાળકીનાં માતા-પિતાની શોધ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2025 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK