Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પહલગામ અટૅકમાં જીવ ગુમાવનારા લોકોને ભારત ડાયમન્ડ બુર્સમાં ૩૮,૦૦૦ લોકોએ આપી શ્રદ્ધાંજલિ

પહલગામ અટૅકમાં જીવ ગુમાવનારા લોકોને ભારત ડાયમન્ડ બુર્સમાં ૩૮,૦૦૦ લોકોએ આપી શ્રદ્ધાંજલિ

Published : 26 April, 2025 07:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત ડાયમન્ડ બુર્સના પ્રેસિડન્ટ કિરીટ ભણસાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે ૩.૨૫ વાગ્યે બરોબર સાયરન વાગતાં જ બે મિનિટ માટે મૌન પાળવામાં આવ્યું હતું

ભારત ડાયમન્ડ બુર્સમાં ૩૮,૦૦૦ લોકોએ આપી શ્રદ્ધાંજલિ

ભારત ડાયમન્ડ બુર્સમાં ૩૮,૦૦૦ લોકોએ આપી શ્રદ્ધાંજલિ


પહલગામ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના દર્શાવીને તેમના પરિવારોને સાંત્વન આપવા ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ બાબતે માહિતી આપતાં ભારત ડાયમન્ડ બુર્સના પ્રેસિડન્ટ કિરીટ ભણસાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે ૩.૨૫ વાગ્યે બરોબર સાયરન વાગતાં જ બે મિનિટ માટે મૌન પાળવામાં આવ્યું હતું. ભારત ડાયમન્ડ બુર્સ (BDB), મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશન (MDMA), જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (JGEPC), BDBના સ્ટાફ અને બધા જ મેમ્બરોએ બે મિનિટનું મૌન પાળ્યું હતું. ૩૮,૦૦૦ લોકો આ શ્રદ્ધાંજલિમાં જોડાયા હતા. હૉલમાં અને વેપારીઓએ પોતાની ઑફિસમાં બે મિનિટ માટે ઊભા રહી મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. BDB અને JGEPCએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. એમાં પહલગામની આ ઘટનાને વખોડીને વડા પ્રધાન આ બાબતે જે પણ પગલાં લેશે એને અમારો પૂરો સપોર્ટ હશે એમ અમે જણાવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2025 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK