Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છત્રપતિ સંભાજીનગરમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું... આવનારાં બે વર્ષમાં એક કરોડ લખપતિ દીદી તૈયાર કરીશું

છત્રપતિ સંભાજીનગરમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું... આવનારાં બે વર્ષમાં એક કરોડ લખપતિ દીદી તૈયાર કરીશું

Published : 28 November, 2025 07:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ લક્ષ્યમાંથી અડધો ટાર્ગેટ ૫૦ લાખ આ વર્ષે અને બાકીનો ૫૦ લાખ આવતા વર્ષે પૂરો કરવાનું લક્ષ્ય છે.

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે છત્રપતિ સંભાજીનગરમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર લાડકી બહિણ યોજના તો ચાલુ જ રાખવાની છે એટલું જ નહીં, એ સાથે આવનારાં બે વર્ષમાં રાજ્યની એક કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યમાંથી અડધો ટાર્ગેટ ૫૦ લાખ આ વર્ષે અને બાકીનો ૫૦ લાખ આવતા વર્ષે પૂરો કરવાનું લક્ષ્ય છે.

મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ હેઠળ રાજ્યની વિધવા, ત્યક્તા, જરૂરતમંદ મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. લખપતિ દીદી યોજના અંતર્ગત સેલ્ફ-હેલ્પ ગ્રુપની મહિલાઓને ટ્રેઇનિંગ અને લોન સહિતની સુવિધાઓ આપીને તેમને રોજગાર માટે પ્રોત્સાહન તથા પ્લૅટફૉર્મ પૂરું પાડવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2025 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK