Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીપંચનો સુપ્રીમ કોર્ટમાં પુનરુચ્ચાર : આધાર કાર્ડ નાગરિકત્વનો નહીં, માત્ર ઓળખનો પુરાવો

ચૂંટણીપંચનો સુપ્રીમ કોર્ટમાં પુનરુચ્ચાર : આધાર કાર્ડ નાગરિકત્વનો નહીં, માત્ર ઓળખનો પુરાવો

Published : 16 November, 2025 06:52 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આધાર કાર્ડ નાગરિકત્વ કે ઍડ્રેસના પુરાવા તરીકે વાપરવામાં આવતું નથી.

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર


ચૂંટણીપંચના સેક્રેટરી સંતોષકુમાર દુબેએ સુપ્રીમ કોર્ટમાં એક ઍફિડેવિટ રજૂ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડ ભારતના નાગરિકત્વનો પુરાવો નથી, એ માત્ર મતદારયાદીમાં નામ સામેલ કરવાની ઇચ્છા ધરાવતા લોકોની ઓળખ કરવા માટે વાપરવામાં આવે છે.

નવી મતદારયાદીમાં નામ નોંધાવવા માટે વાપરવામાં આવતા ફૉર્મ ૬માં જન્મતારીખના પુરાવા તરીકે આધાર કાર્ડને વાપરવા વિરુદ્ધ નિર્દેશ આપવામાં આવ્યો છે. આધાર કાર્ડનો ઉપયોગ ફક્ત ઓળખ કરવા માટે મર્યાદિત કરવામાં આવે અને ફૉર્મ ૬માં જન્મતારીખના પુરાવા તરીકે એના ઉપયોગને રોકવામાં આવે એવી માગણી કરતી અરજી અશ્વિનીકુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં કરી છે. આ સંદર્ભમાં સંતોષકુમાર દુબેએ ઉપરોક્ત ઍફિડેવિટ નોંધાવ્યું હતું.



ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે જનપ્રતિનિધિ કાયદો, ૧૯૫૦ની કલમ ૨૩(૪) અનુસાર આધાર કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખ પુરવાર કરવામાં વાપરવામાં આવે છે. આધાર કાર્ડ નાગરિકત્વ કે ઍડ્રેસના પુરાવા તરીકે વાપરવામાં આવતું નથી.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2025 06:52 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK