Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાન ગયેલી સિખ મહિલા ભારત પાછી ન આવી

પાકિસ્તાન ગયેલી સિખ મહિલા ભારત પાછી ન આવી

Published : 16 November, 2025 09:11 AM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૩ નવેમ્બરે ગુમ થયેલી સરબજિત કૌરના કિસ્સામાં હવે એક કથિત નિકાહનામા અને તેના પાસપોર્ટની નકલ સામે આવી છે.

સરબજિત કૌર અને તેનું કથિત નિકાહનામું.

સરબજિત કૌર અને તેનું કથિત નિકાહનામું.


ગુરુ નાનક જયંતી નિમિત્તે યાત્રાળુઓના જૂથ સાથે ગયેલી પંજાબના કપૂરથલાની સરબજિત કૌરનું નિકાહનામું વાઇરલ, ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને ત્યાં પરણી ગઈ હોવાની ચર્ચા

ગુરુ નાનકદેવના પ્રકાશપર્વની ઉજવણી માટે ધાર્મિક જૂથના ભાગરૂપે પાકિસ્તાન ગયેલી પંજાબના કપૂરથલાની બાવન વર્ષની રહેવાસી સરબજિત કૌર પાકિસ્તાનથી પાછી ફરી નથી અને હવે વાઇરલ થયેલા એક કથિત નિકાહનામામાં દાવો કરવામાં આવ્યો છે કે સરબજિત કૌરે ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે અને તેણે પાકિસ્તાનના શેખુપુરાના નયી આબાદીના રહેવાસી નાસિર હુસૈન સાથે નિકાહ પઢી લીધા છે. હવે ભારતીય અધિકારીઓ તેને શોધવા માટે પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં હોવાનું જાણવા છે.



સિખ યાત્રાળુઓને પાકિસ્તાનમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની સુવિધા આપતા દ્વિપક્ષીય કરાર હેઠળ સરબજિત કૌર ૪ નવેમ્બરે વાઘા-અટારી સરહદ પાર કરીને પાકિસ્તાન ગઈ હતી. આ વર્ષે ગુરુ નાનકદેવની ૫૫૫મી જન્મજયંતી ઊજવવામાં આવી હતી. ૧૯૯૨ સિખ યાત્રાળુઓનું જૂથ પાકિસ્તાનમાં લગભગ ૧૦ દિવસ વિતાવ્યા પછી ૧૩ નવેમ્બરે ભારત પાછું ફર્યું હતું. સરબજિત કૌર તેમની સાથે પાછી ફરી નહોતી.


૧૩ નવેમ્બરે ગુમ થયેલી સરબજિત કૌરના કિસ્સામાં હવે એક કથિત નિકાહનામા અને તેના પાસપોર્ટની નકલ સામે આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2025 09:11 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK