Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરના પંતનગરની ચાલમાં આગ, ચાર બાળકો સહિત ૬ લોકો દાઝ્‍યા

ઘાટકોપરના પંતનગરની ચાલમાં આગ, ચાર બાળકો સહિત ૬ લોકો દાઝ્‍યા

Published : 25 November, 2025 09:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરવખરી અને ગૅસના સિલિન્ડરને કારણે આગ ઝડપથી ફેલાઈ જતાં તેમને ભાગવાનો સમય ન મળ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘાટકોપર-ઈસ્ટના પંતનગરની એક ચાલમાં આગ લાગતાં ચાર બાળકો સહિત ૬ લોકો દાઝી ગયાં હતાં. ગ્રાઉન્ડ પ્લસ એક માળના ચાલીના મકાનના પહેલા માળે ૧૦X૧૦ ફુટ વિસ્તારમાં સોમવારે બપોરે સાડાબાર વાગ્યે આગ લાગી હતી. ઘરનું ફર્નિચર, ઇલેક્ટ્રિક વાયરિંગ, વાસણ-કપડાં સહિત એક લીક થતું ગૅસનું સિલિન્ડર આગની ચપેટમાં આવતાં આગ ઝડપથી ફેલાઈ હતી એને લીધે અંદર રહેલા લોકો બહાર આવી શક્યા નહોતા. આગમાં ૬થી ૧૦ વર્ષનાં ચાર બાળકો ૧૦ ટકા દાઝ્‍યાં હતાં, જ્યારે ૪૦ વર્ષની મહિલા અને ૪૫ વર્ષનો એક પુરુષ વધુ દાઝી ગયાં હોવાથી તેમની સ્થિતિ ગંભીર હોવાનું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીએ જણાવ્યું હતું. તમામ ૬ જણ રાજાવાડી હૉસ્પિટલમાં ઍડ્‍મિટ છે. ફાયર-બ્રિગેડે બપોરે ૧.૩૦ વાગ્યા સુધીમાં આગ ઓલવી નાખી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2025 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK