Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધાનભવનના ગેટ પરના સ્કૅનરમાં આગ લાગી

વિધાનભવનના ગેટ પરના સ્કૅનરમાં આગ લાગી

Published : 20 May, 2025 09:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં આગ લાગવાની પાંચ મિનિટમાં જ સિક્યૉરિટી સ્ટાફ દ્વારા આગ ઓલવી નાખવામાં આવી હતી.

વિધાનભવનના ગેટ પરના સ્કૅનરમાં આગ લાગી

વિધાનભવનના ગેટ પરના સ્કૅનરમાં આગ લાગી


મુંબઈમાં આવેલા મહારાષ્ટ્રના વિધાનભવનના એક એન્ટ્રી-ગેટ પર રાખેલા સ્કૅનરમાં સોમવારે બપોરે આગ લાગી હતી. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ લાગેલી આગ સિક્યૉરિટી સ્ટાફ દ્વારા તરત જ ઓલવી નાખવામાં આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું. વિધાનભવનના એક બાજુના એન્ટ્રી-ગેટ પર સિક્યૉરિટી કૅબિન પાસે મૂકેલા સ્કૅનરમાં શૉર્ટ-સર્કિટ થયું હોવાનું પ્રાથમિક ધોરણે જણાઈ રહ્યું છે એમ મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારી જણાવ્યું હતું. ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં આગ લાગવાની પાંચ મિનિટમાં જ સિક્યૉરિટી સ્ટાફ દ્વારા આગ ઓલવી નાખવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2025 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK