Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > FSSAIનો આદેશ : ડાબર હવે મધ કે ઘી માટે ૧૦૦ ટકા શુદ્ધતાનો દાવો નહીં કરી શકે

FSSAIનો આદેશ : ડાબર હવે મધ કે ઘી માટે ૧૦૦ ટકા શુદ્ધતાનો દાવો નહીં કરી શકે

Published : 05 August, 2026 09:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવા દાવાઓ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ (જાહેરાત અને દાવાઓ) રેગ્યુલેશન્સ, 2018નું ઉલ્લંઘન કરે છે

ડાબર

ડાબર


ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ ડાબર ઇન્ડિયાને ૧૦૦ ટકા દાવાઓ ધરાવતાં અનેક ખાદ્ય ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે આવું લેબલિંગ અસ્પષ્ટ અને ચકાસણીયોગ્ય નથી અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે. ફૂડ-નિયમનકારે જણાવ્યું હતું કે એણે મધ, ઍપલ સાઇડર વિનેગર, વર્જિન નારિયેળ તેલ, તલનું તેલ, ગાયનું ઘી, નારિયેળપાણી અને નારિયેળનું દૂધ જેવાં ઉત્પાદનોના વેચાણ પર ડાબર ઇન્ડિયા લિમિટેડ સામે પ્રતિબંધનો આદેશ જાહેર કર્યો છે જેમાં ૧૦૦ ટકાના ભ્રામક દાવાઓ છે.
આ મુદ્દે FSSAIએ જણાવ્યું હતું કે ‘ડાબરની વેબસાઇટ પર સૂચિબદ્ધ ઉત્પાદનોમાં ૧૦૦ ટકા નૅચરલ, ૧૦૦ ટકા શુદ્ધ, ૧૦૦ ટકા શુદ્ધતાની ખાતરી, ૧૦૦ ટકા ઑર્ગેનિક અને ૧૦૦ ટકા ટેન્ડર કોકોનટ વૉટર જેવા દાવાઓ જોવા મળ્યા હતા. આવા દાવાઓ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ (જાહેરાત અને દાવાઓ) રેગ્યુલેશન્સ, 2018નું ઉલ્લંઘન કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK