Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Covid-19: દેશમાં કોરોનાને કારણે 2021માં એક કરોડથી વધુએ પહોંચ્યો હતો મરણાંક-સરકાર

Covid-19: દેશમાં કોરોનાને કારણે 2021માં એક કરોડથી વધુએ પહોંચ્યો હતો મરણાંક-સરકાર

Published : 07 June, 2025 09:52 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) એ દેશમાં કોરોનાવાયરસથી થયેલા મૃત્યુનો સત્તાવાર ડેટા જાહેર કર્યો છે. CRS અનુસાર, દેશમાં 2021 માં કોવિડથી સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે કોવિડને કારણે સૌથી ઓછા મૃત્યુ 2019 માં થયા હતા.

કોરોનાવાયરસની ફાઈલ તસવીર

કોરોનાવાયરસની ફાઈલ તસવીર


સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) એ દેશમાં કોરોનાવાયરસથી થયેલા મૃત્યુનો સત્તાવાર ડેટા જાહેર કર્યો છે. CRS અનુસાર, દેશમાં 2021 માં કોવિડથી સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે કોવિડને કારણે સૌથી ઓછા મૃત્યુ 2019 માં થયા હતા.


ભારતમાં, કોવિડથી પ્રભાવિત 2021 ની તુલનામાં 2022માં કોવિડ-19 ચેપને કારણે લગભગ 86.5 લાખ મૃત્યુ નોંધાયા હતા. આ મૃત્યુ 2021 માં થયેલા 1.02 કરોડ મૃત્યુ કરતા 15 ટકાથી વધુ ઓછા છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) ના નવા અહેવાલમાં આ ખુલાસો થયો છે.



CRS રિપોર્ટ મુજબ, 2022 માં 15.74 લાખ મૃત્યુના ઘટાડાથી મૃત્યુદર 2020 જેવા મહામારી પહેલાના સ્તરે પાછો આવી ગયો છે. CRS ડેટા અનુસાર, 2021 માં મૃત્યુઆંકમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો જેમાં સમગ્ર દેશમાં 1.02 કરોડ મૃત્યુ થયા હતા, જ્યારે આ આંકડો 2020 માં 81.1 લાખ, 2019 માં 76.4 લાખ અને 2018 માં 69.5 લાખ હતો.


રિપોર્ટ મુજબ, નોંધાયેલા મૃત્યુની સંખ્યા 2021 માં 102.2 લાખથી ઘટીને 2022 માં 86.5 લાખ થઈ ગઈ છે, એટલે કે, તેમાં 15.4 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર અને હરિયાણા જેવા રાજ્યોએ આ ઘટાડામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.

WHO એ કોવિડથી થયેલા મૃત્યુનો લગાવ્યો હતો ખોટો અંદાજ
29 જુલાઈ 2022 ના રોજ લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, કોવિડ-19 થી 26 જુલાઈ 2022 સુધી ભારતમાં લગભગ 5.26 લાખ મૃત્યુ નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ભારતમાં કોવિડ સંબંધિત 47 લાખથી વધુ મૃત્યુનો અંદાજ લગાવ્યો હતો. આ અંગે સખત વાંધો વ્યક્ત કરતા, ભારત સરકારે તેને ખોટું ગણાવ્યું હતું. સરકારે કહ્યું હતું કે WHO ગણતરીઓમાં ઘણી ભૂલો અને ખોટી ધારણાઓ હતી, જ્યારે ભારતે પહેલાથી જ WHO ને રજિસ્ટ્રાર જનરલ દ્વારા પ્રકાશિત સચોટ CRS ડેટા પ્રદાન કર્યો છે.


2022માં જન્મ નોંધણીમાં 5.1 ટકાનો વધારો
રિપોર્ટ મુજબ, 2022 માં 2.54 કરોડ જન્મ નોંધાયા હતા. 2021 માં 242 લાખ જન્મોની સરખામણીમાં આ 5.1 ટકાનો વધારો છે. 2022 માં નોંધાયેલા જન્મ 254.4 લાખ હતા. ૨૦૨૧ ની સરખામણીમાં ૨૦૨૨ માં મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જન્મ નોંધણીમાં વધારો થયો હતો, પરંતુ બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, લદ્દાખ અને લક્ષદ્વીપમાં તેમાં ઘટાડો થયો હતો. ૨૦૨૨ માં જન્મ વૃદ્ધિમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, કર્ણાટક, ગુજરાત, તેલંગાણા, છત્તીસગઢ અને આસામ એમ નવ મુખ્ય રાજ્યોએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. જોકે, ૨૦૨૧ ની સરખામણીમાં પશ્ચિમ બંગાળ અને બિહારમાં જન્મ નોંધણીમાં છ આંકડાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 09:52 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK