Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાલવિવાહના મામલે પતિ-પત્ની અને પંડિત સહિત ૧૫૮ લોકો સામે ફરિયાદ

બાલવિવાહના મામલે પતિ-પત્ની અને પંડિત સહિત ૧૫૮ લોકો સામે ફરિયાદ

Published : 19 February, 2025 12:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રમાં યુવતી અને મહિલાના શોષણ થવાના મામલા સામે આવી રહ્યા છે ત્યારે છત્રપતિ સંભાજીનગરમાં બાલવિવાહ કરાવવામાં આવ્યા હોવાનો કેસ પોલીસ-ચોપડે નોંધાયો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રમાં યુવતી અને મહિલાના શોષણ થવાના મામલા સામે આવી રહ્યા છે ત્યારે છત્રપતિ સંભાજીનગરમાં બાલવિવાહ કરાવવામાં આવ્યા હોવાનો કેસ પોલીસ-ચોપડે નોંધાયો છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ગંગાપુર તાલુકાના ભેંડાળા ગામમાં ત્રણ મહિના પહેલાં ૧૫ વર્ષની સગીર કન્યા સાથે પૈઠણ તાલુકાના એક ગામમાં રહેતા સની ભાલેરાવ નામના યુવકનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. કન્યા સગીર હોવા છતાં તેનાં લગ્ન કરાવવામાં આવ્યાં હોવાની જાણ કરવામાં આવ્યા બાદ ગંગાપુર પોલીસે કન્યા, તેનો પતિ, લગ્ન કરાવનાર પંડિત, લગ્નનો મંડપ ઊભો કરનાર અને લગ્નમાં સામેલ થનાર કુલ ૧૫૮ લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં બાલવિવાહને રોકવા માટે બાલવિવાહ વિભાગ બનાવવામાં આવ્યો છે એના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2025 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK