Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંગમેશ્વરના સરદેસાઈ વાડામાં બનશે છત્રપતિ સંભાજી મહારાજનું ભવ્ય સ્મારક

સંગમેશ્વરના સરદેસાઈ વાડામાં બનશે છત્રપતિ સંભાજી મહારાજનું ભવ્ય સ્મારક

Published : 06 March, 2025 02:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કરી જાહેરાત

કોંકણના સંગમેશ્વરમાં આવેલો સરદેસાઈ વાડો.

કોંકણના સંગમેશ્વરમાં આવેલો સરદેસાઈ વાડો.


છત્રપતિ સંભાજી મહારાજને કોંકણમાં આવેલા સંગમેશ્વર ખાતેના સરદેસાઈ વાડામાં મુગલ શહેનશાહ ઔરંગઝેબના સૈનિકોએ કેદ કર્યા હતા. બાદમાં ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજની નિર્દય રીતે હત્યા કરી હતી. છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’માં આ દૃશ્ય બતાવવામાં આવ્યાં છે. એ જોઈને લોકો સંગમેશ્વર જઈને સરદેસાઈ વાડાની મુલાકાત કરી રહ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે વિધાનસભામાં કહ્યું હતું કે ‘છત્રપતિ સંભાજી મહારાજ છેલ્લે સંગમેશ્વરમાં આવેલા સરદેસાઈ વાડામાં રોકાયા હતા. આ વાડાને હસ્તગત કરીને અહીં છત્રપતિ સંભાજી મહારાજનું સ્મારક બનાવવામાં આવશે. છત્રપતિ સંભાજી મહારાજ શૌર્યના પ્રતીક છે. તેઓ ધર્મવીર, સ્વરાજ્યરક્ષક હતા. સરદેસાઈ વાડામાં છત્રપતિને છાજે એવું સ્મારક ઊભું કરવામાં આવશે.’


ઉલ્લેખનીય છે કે સંગમેશ્વર ખાતેનો સરદેસાઈ વાડો નાનો છે. આથી વાડાની આજુબાજુમાં આવેલી ૧૦૦ એકર જમીન હસ્તગત કરીને અહીં છત્રપતિ સંભાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાની માગણી ભારતીય જનતા પાર્ટીના વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડે કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2025 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK