Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગેરકાયદે બાંધકામો બાબતે સરકારે મૂક પ્રેક્ષક બનીને બેસી ન રહેવું જોઈએ

ગેરકાયદે બાંધકામો બાબતે સરકારે મૂક પ્રેક્ષક બનીને બેસી ન રહેવું જોઈએ

Published : 20 November, 2025 11:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્ય સરકારને બૉમ્બે હાઈ કોર્ટે કરી મહત્ત્વની ટકોર

બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર

બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર


નવી મુંબઈમાં ગેરકાયદે બાંધકામોની વધતી સંખ્યા ગંભીર ચિંતાનો વિષય છે એમ જણાવીને બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે ‘ગેરકાયદે બંધકામોને લીધે મધ્યમ વર્ગના લોકો ભોગ બને છે. આ બાબતે મહારાષ્ટ્ર સરકારે મૂક પ્રેક્ષક બનીને બેસી ન રહેવું જોઈએ.’

ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની બેન્ચે જાહેર હિતની એક અરજીની સુનાવણી દરમ્યાન નોંધ્યું હતું કે જરૂરી પરવાનગીઓ વિના અથવા મંજૂર પ્લાનમાં ફેરફાર કરીને બાંધવામાં આવેલાં બિલ્ડિંગોની સંખ્યા અધિકારીઓ અને ડેવલપર્સ વચ્ચેની સાઠગાંઠ છતી કરે છે.



અરજદારે જણાવ્યું હતું કે બિલ્ડિંગોમાં ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) ન હોવા છતાં ખરીદદારોને રહેવા માટે ફ્લૅટ આપી દેવાયા છે. ઉપરાંત હાઈ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)એ જરૂરી પરવાનગીઓ વિના અથવા નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલાં ૨૧૦૦ બિલ્ડિંગની યાદી તૈયાર કરી છે.


આ વર્ષે માર્ચ મહિનામાં હાઈ કોર્ટની બીજી બેન્ચે NMMCને ગેરકાયદે બાંધકામો શોધીને  કાર્યવાહી કરતાં પહેલાં માલિકો અથવા કબજેદારોને નોટિસ આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ ચુકાદાને ટાંકીને હાઈ કોર્ટે તાજેતરની જાહેર હિતની અરજી ફગાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2025 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK