Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉલ્હાસનગરના જ્વેલરે આર્થિક ભીડમાં આવી જઈ પત્ની, પુત્રીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી

ઉલ્હાસનગરના જ્વેલરે આર્થિક ભીડમાં આવી જઈ પત્ની, પુત્રીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી

Published : 16 May, 2025 10:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉલ્હાસનગર પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે પવન પાહુજાએ તેની પત્ની અને દીકરીનું ગળું દાબી તેમની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉલ્હાસનગર કૅમ્પ-૧માં રહેતા જ્વેલર પવન પાહુજા, તેની પત્ની નેહા અને દીકરી રોશનીના મૃતદેહ તેમના ઘરમાંથી જ ગુરુવારે મળી આવ્યા હતા. ઉલ્હાસનગર પોલીસના જણાવ્યા અનુસાર પવન પાહુજાનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો, જ્યારે તેની પત્ની નેહા અને દીકરી રોશનીના મૃતદેહ જમીન પર પડ્યા હતા. તેમના મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.


ઉલ્હાસનગર પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે પવન પાહુજાએ તેની પત્ની અને દીકરીનું ગળું દાબી તેમની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હોવી જોઈએ. તેમના પાડોશી પાસેથી માહિતી લેતાં તેમણે કહ્યું હતું કે પવન પાહુજાને કેટલાક લોકોએ છેતર્યો હોવાથી તે આર્થિક સંકડામણ અનુભવતો હતો. વળી તેને એ માટે બહુ હેરાન પણ કરવામાં આવતો હતો એથી તે કંટાળી ગયો હતો. તેણે પાડોશીઓ સાથે પણ આ વાત કરી હતી. એટલું જ નહીં, તે આ સમસ્યાથી છુટકારો મેળવવા જીવનનો અંત લાવવાનું પણ કહેતો હતો. તેના મિત્રએ પવન પાહુજાએ આ સંદર્ભે બનાવેલો વિડિયો પણ પોલીસને આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2025 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK