Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લગ્નસમારોહમાંથી પાછી ફરી રહેલી કાર કૂવામાં ખાબકી, ૧૨ લોકોનાં કરુણ મોત

લગ્નસમારોહમાંથી પાછી ફરી રહેલી કાર કૂવામાં ખાબકી, ૧૨ લોકોનાં કરુણ મોત

Published : 28 April, 2025 08:39 AM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્નસમારોહમાંથી પાછી ફરી રહેલી કાર કૂવામાં ખાબકી, ૧૨ લોકોનાં કરુણ મોત

મધ્ય પ્રદેશના મંદસૌરમાં રવિવારે ગમખ્વાર અકસ્માત થયો

મધ્ય પ્રદેશના મંદસૌરમાં રવિવારે ગમખ્વાર અકસ્માત થયો


મધ્ય પ્રદેશના મંદસૌરમાં રવિવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. ૧૬ લોકો સાથેની કાર કૂવામાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ ૧૨ લોકોનાં મોત થયાં હતાં. એમાં કાર સવાર આઠ લોકો અને એક બાઇકસવાર ઉપરાંત એક યુવક સામેલ છે જે તેમને બચાવવા કૂવામાં ઊતર્યો હતો. અકસ્માત બાદ કારને કાઢી લેવામાં આવી છે.


કારમાં બાળકો સહિત ૧૬ લોકો હતાં. તેઓ લગ્નસમારોહમાં સામેલ થઈને માતાજીનાં દર્શન કરવા જઈ રહ્યાં હતાં. તેમની કારની ગતિ પણ તેજ હતી. આ દરમ્યાન ગ્રામ કાચરિયામાં રસ્તા પર કારની સામે અચાનક બાઇક આવી ગઈ હતી એટલે બાઇક કારની અડફેટે આવ્યા બાદ બેકાબૂ થઈ ગઈ હતી. ત્યાં એક મોટો કૂવો હતો એમાં કાર ખાબકી હતી. આ કાર ગૅસથી ચાલતી હતી અને ગૅસ લીક થતાં મૂંઝારાથી અનેક લોકોનાં મોત થયાં હતાં. કૂવામાં લોકોને બચાવવા ઊતરેલા એક યુવકનું પણ ગૅસને કારણે મોત થયું હતું. બાદમાં SDRFની ટીમ ઑક્સિજન સિલિન્ડર સાથે કૂવામાં ઊતરી હતી અને ક્રેનની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2025 08:39 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK