Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્લેન ક્રૅશ તપાસ અંગે મોટી અપડેટ: કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી નાયડુનું મોટું નિવેદન

પ્લેન ક્રૅશ તપાસ અંગે મોટી અપડેટ: કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી નાયડુનું મોટું નિવેદન

Published : 24 June, 2025 05:14 PM | Modified : 25 June, 2025 06:54 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ahmedabad Plane Crash Investigation: અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ ફક્ત ભારતમાં જ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ મંગળવારે પુણેમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે વિમાનનું બ્લૅક બૉક્સ ભારતમાં જ છે.

ઍર ઇન્ડિયા ક્રૅશ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુ (તસવીર સૌજન્ય: મિડ-ડે અને સોશિયલ મીડિયા)

ઍર ઇન્ડિયા ક્રૅશ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુ (તસવીર સૌજન્ય: મિડ-ડે અને સોશિયલ મીડિયા)


અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ ફક્ત ભારતમાં જ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ મંગળવારે પુણેમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે વિમાનનું બ્લૅક બૉક્સ ભારતમાં જ છે અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) તેની તપાસ કરી રહ્યું છે. મંત્રીએ સમાચારને ફગાવી દીધા છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે બ્લૅક બૉક્સને તપાસ માટે વિદેશ (અમેરિકા) મોકલવામાં આવશે. આ અકસ્માતમાં 270 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.


બ્લૅક બૉક્સની તપાસ ફક્ત ભારતમાં જ થશે: કેન્દ્ર સરકાર
અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રી નાયડુએ પુણેમાં હેલિકોપ્ટર અને સ્મોલ એરક્રાફ્ટ સમિટ 2025 પ્રસંગે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે બ્લૅક બૉક્સ વિમાન દુર્ઘટનાના કારણો શોધવામાં મદદ કરશે. 12 જૂનના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી ઉડાન ભર્યા પછી તરત જ ઍર ઈન્ડિયાનું વિમાન મેડિકલ કૉલેજના હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થયું હતું. વિમાન લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 241 લોકો સહિત 270 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. AI-171 વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. બ્લૅક બૉક્સ અકસ્માત સ્થળેથી મળી આવ્યું હતું.



AAIB બ્લૅક બૉક્સની તપાસ કરી રહ્યું છે: ઉડ્ડયન મંત્રી
બ્લૅક બૉક્સ એ એક નાનું નારંગી રંગનું ઉપકરણ છે જે વિમાનના પાછળના ભાગમાં ફીટ કરવામાં આવે છે. તે વિમાનની ઉડાન દરમિયાનની સમગ્ર ટેકનિકલ માહિતી અને કૉકપીટ વાતચીતને રેકોર્ડ કરીને તેને સેવ કરે છે. આ વિમાન અકસ્માતોના કારણોની તપાસ કરવામાં મદદ કરે છે. અગાઉ, મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે બ્લૅક બૉક્સને તપાસ માટે યુએસ મોકલવામાં આવશે કારણ કે તે એટલું ખરાબ રીતે બળી ગયું છે કે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો પાસે તેને ઇન્વેસ્ટીગેટ કરવાની સુવિધા નથી. આના પર મંત્રી નાયડુએ કહ્યું, `...આ બધા અટકળો છે. બ્લૅક બૉક્સ ભારતમાં જ છે અને AAIB તેની તપાસ કરી રહ્યું છે.`


બ્લૅક બૉક્સ ડેટા ડીકોડ કરવામાં સમય લાગી શકે છે
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બ્લૅક બૉક્સ ડેટા ક્યારે ઉપલબ્ધ થશે, ત્યારે તેમણે કહ્યું કે તે એક ટેકનિકલ બાબત છે. તેમણે કહ્યું, `AAIB ને તપાસ કરવા દો અને બધી પ્રોસેસ કરવા દો.` કેન્દ્ર સરકારે અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ-સ્તરીય પેનલની રચના કરી છે. સરકાર કહે છે કે તપાસ સરળતાથી ચાલી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુએ અગાઉ કહ્યું હતું કે, `બ્લૅક બૉક્સ ડીકોડ કરવાથી વિમાન દુર્ઘટના પહેલા શું થયું હતું તેની સમગ્ર માહિતી મળશે.`

AAIB વિમાન અકસ્માતોની કરે છે તપાસ
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (Aircraft Accident Investigation Bureau)એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળની એક સરકારી તપાસ એજન્સી છે, જે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (Directorate General of Civil Aviation) થી સ્વતંત્ર છે. તેનું કામ વિમાન અકસ્માતોની તપાસ કરવાનું છે. તે શોધે છે કે હવાઈ અકસ્માત શા માટે થયો અને ભવિષ્યમાં આવા અકસ્માતોને ટાળવા માટે શું કરી શકાય. આ તપાસ એજન્સીના નિષ્ણાતો બ્લૅક બૉક્સની તપાસમાં સામેલ છે. તેઓ બ્લૅક બૉક્સમાંથી ડેટા કાઢશે અને તેનું વિશ્લેષણ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2025 06:54 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK