Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બુલેટ ટ્રેનનું કામ જેને લીધે અટવાયું છે એ ટનલ બોરિંગ મશીન સપ્લાય કરવા ચીન રાજી

બુલેટ ટ્રેનનું કામ જેને લીધે અટવાયું છે એ ટનલ બોરિંગ મશીન સપ્લાય કરવા ચીન રાજી

Published : 20 August, 2025 08:26 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખાતર અને રૅર અર્થ મિનરલ્સ પણ આપશેઃ ચીનના વિદેશપ્રધાનની બે દિવસની ભારતની મુલાકાતમાં અનેક બાબતે સહમતી સધાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચીનના વિદેશપ્રધાન વાંગ યી બે દિવસની ભારતની મુલાકાત પર હતા. આ બે દિવસમાં તેમણે વિદેશપ્રધાન એસ. જયશંકર, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી.


ચીની વિદેશપ્રધાનની આ મુલાકાત દરમ્યાન અનેક બાબતે સહમતી સધાઈ હતી. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીને ભાગીદાર તરીકે કામ કરવું જોઈએ.



ભારત માટે રૅર અર્થ મિનરલ્સ અને ખાતરના સપ્લાયને ફરી સરળ બનાવવા માટે પ્રતિબંધો હળવા કરવા પણ ચીન સંમત થયું છે. વાંગે સોમવારે જયશંકર સાથેની વાતચીત દરમ્યાન આ ખાતરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ચીને ભારતની ત્રણ મુખ્ય ચિંતાઓને દૂર કરવાનું વચન આપ્યું હતું. વિદેશપ્રધાન વાંગ યીએ વિદેશપ્રધાન જયશંકરને ખાતરી આપી હતી કે ચીન ખાતર, રૅર અર્થ મિનરલ્સ ઉપરાંત ટનલ બોરિંગ મશીનોની ભારતની જરૂરિયાતોને પણ પૂરી કરશે.


ટનલ બોરિંગ મશીનના અભાવે ભારતમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું મહારાષ્ટ્રમાં કામ અટકી પડ્યું છે.

ભારત એના આર્થિક વિકાસને વેગ આપવા માટે રૅર અર્થ મિનરલ્સના સતત પુરવઠા પર નજર રાખી રહ્યું છે. ચીન વૈશ્વિક રૅર અર્થ મિનરલ્સ માઇનિંગમાં લગભગ ૭૦ ટકા હિસ્સો ધરાવે છે.


ચીન અને ભારત વચ્ચેના વિચારભેદ વિવાદ ન બનવા જોઈએ : જયશંકર

 વાંગ સાથેની બેઠકમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ‘ચીન અને ભારત વચ્ચેના વિચારભેદ વિવાદ ન બનવા જોઈએ અને બન્ને વચ્ચે થતી સ્પર્ધા સંઘર્ષમાં ન બદલાવી જોઈએ. ભારત અને ચીને મુશ્કેલ સમય પછી જોડાણમાં આગળ વધવા માટે નિષ્પક્ષ અને રચનાત્મક અભિગમ અપનાવવો પડશે. બન્ને દેશોએ પરસ્પર શાંતિ સ્થાપવા માટે સૈનિકોને સરહદો પરથી પાછા ખેંચવાની પ્રક્રિયાને સતત આગળ વધારવી ખૂબ જરૂરી છે.’

ચીનના વિદેશપ્રધાને મુખ્યત્વે નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ સાથે સરહદ પ્રશ્ન પર ખાસ પ્રતિનિધિઓની વાતચીત પણ કરી હતી. મંગળવારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

20 August, 2025 08:26 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK