Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જજ હટાવવાની અરવિંદ કેજરીવાલની માગણી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી

જજ હટાવવાની અરવિંદ કેજરીવાલની માગણી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી

Published : 21 April, 2026 01:48 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માએ કહ્યું કે જો હું હટીશ તો એવો સંદેશ જશે કે દબાણ કરીને જજને હટાવી શકાય છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


એક્સાઇઝ પૉલિસીના કેસમાં ગઈ કાલે દિલ્હી હાઈ કોર્ટે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની જજ બદલવાની અરજીને ફગાવી દીધી હતી.

કેજરીવાલ દિલ્હી હાઈ કોર્ટમાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી હાજર રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે  જસ્ટિસ સ્વર્ણકાન્તા પર પક્ષપાત અને નિજી હિતોના ટકરાવની સંભાવનાનો આરોપ લગાવીને તેમને આ કેસમાંથી હટાવવાની માગણી કરી હતી. ગઈ કાલે જસ્ટિસ સ્વર્ણકાન્તાએ આ કેસની સુનાવણીમાં કેજરીવાલના આરોપોનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘જો કોઈ જજ તરીકે સોગંદ લે છે તો એનો મતલબ એ નથી કે તેમનો પરિવાર પણ આ પ્રોફેશનમાં ન આવવાના સોગંદ લે. જજનાં બાળકો અને પરિવારો પોતાની  અંગત જિંદગી કઈ રીતે જીવે એ કોઈ અન્ય નક્કી ન કરી શકે. હું આ કેસમાંથી ખુદને અલગ નહીં કરું. હું જ સુનાવણી કરીશ. જો હું હટી ગઈ તો એવો સંદેશ મળશે કે દબાણ લાવીને કોઈ પણ જજને હટાવી શકાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 01:48 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK