Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં દર ત્રીજો ગરીબ આવકના ૧૫ ટકા માત્ર પીવાનું પાણી ખરીદવા માટે ખર્ચે છે

દિલ્હીમાં દર ત્રીજો ગરીબ આવકના ૧૫ ટકા માત્ર પીવાનું પાણી ખરીદવા માટે ખર્ચે છે

Published : 19 August, 2025 01:03 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગરીબ પરિવારો તરસ છિપાવવા મહિને ૬થી ૧૦ હજાર રૂપિયા આપે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) ગ્રીનપીસ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વે મુજબ દિલ્હીના ઓછામાં ઓછા ૩૪ ટકા ગરીબ પરિવારો તેમની માસિક આવકનો ૧૫ ટકા હિસ્સો પીવાના પાણી માટે ખર્ચ કરે છે. ફક્ત મૂળભૂત પીવાનું પાણી મેળવવા માટે આ પરિવારો મહિને ૬ હજારથી ૧૦ હજાર જેટલા રૂપિયા ખર્ચી નાખે છે.


શહેરના ૧૨ અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ઉનાળાના મહિનાઓમાં ક્યારેક પાણી પુરવઠામાં વિક્ષેપ પડે છે. આ બાબતે દિલ્હી સરકાર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા મળી નથી.



સર્વેક્ષણના આંકડા પાણીની માગ અને વાસ્તવિક ઉપલબ્ધતા વચ્ચે સ્પષ્ટ અસમાનતા દર્શાવે છે, કારણ કે સર્વેક્ષણ કરાયેલાં ૩૭ ટકા ઘરોને તેમના પરિવારોના કદ અને વપરાશની રીતોને ધ્યાનમાં લેતાં દરરોજ ઓછામાં ઓછા ૨૦-૨૫ લીટર પાણીની જરૂર પડે છે. જોકે એમાંથી માત્ર ૨૮ ટકા ઘરોને પૈસા ચૂકવવામાં આવ્યા બાદ પૂરતું પાણી મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2025 01:03 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK