Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચાબહાર પોર્ટ પર ભારતને અમેરિકાની પાબંદીઓમાંથી છ મહિનાની છૂટ મળી

ચાબહાર પોર્ટ પર ભારતને અમેરિકાની પાબંદીઓમાંથી છ મહિનાની છૂટ મળી

Published : 31 October, 2025 10:06 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બંદરગાહ ભારતને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સાથે સીધો વેપાર કરવામાં મદદરૂપ છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


ભારતે ૨૦૨૪માં ચાબહાર ઍરપોર્ટને ૧૦ વર્ષ માટે લીઝ પર લીધું હતું, પરંતુ અમેરિકાએ ૨૯ સપ્ટેમ્બરથી આ બંદરગાહ ચલાવવા, પૈસા આપવા કે એની સાથે સંકળાયેલી કંપનીઓ પર પેનલ્ટી લગાવવાની જાહેરાત કરી હતી. એ પછી અમેરિકાએ એ અવધિ વધારીને ૨૭ ઑક્ટોબર સુધી તારીખ લંબાવી હતી. આ ડેડલાઇન ૩ દિવસ પહેલાં જ પૂરી થઈ હતી જેને હવે અમેરિકાએ છ મહિના માટે વધારી છે. ભારતના વિદેશ મંત્રાલયે ગઈ કાલે જાહેર કર્યું હતું કે અમેરિકાએ ભારતને ઈરાનના ચાબહાર પોર્ટ પર ૬ મહિનાની છૂટ આપી છે.

વેપાર અને વ્યૂહાત્મક વિદેશસંબંધોની દૃષ્ટિએ ભારત માટે આ બંદરગાહ બહુ મહત્ત્વનું છે, કેમ કે એના થકી અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સાથે સીધો વેપાર સરળ બને છે અને બીજા એશિયાઈ દેશો સુધી સામાન પહોંચાડવા માટે પાકિસ્તાનના રસ્તે જવાની જરૂર નથી પડતી. 


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2025 10:06 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK