Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રેલવેમાં હવે કુલ સીટોના ૨૫ ટકા સીટો માટે જ વેઇટ-લિસ્ટ જાહેર થશે

રેલવેમાં હવે કુલ સીટોના ૨૫ ટકા સીટો માટે જ વેઇટ-લિસ્ટ જાહેર થશે

Published : 03 November, 2025 03:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પગલાથી હવે મુસાફરો માટે કન્ફર્મ ન થયેલી ટિકિટોની અનિશ્ચિતતા દૂર થશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નવા નિયમથી મુસાફરોની સુવિધા વધશે અને કન્ફર્મ ન થયેલી ટિકિટોની અનિશ્ચિતતા પણ દૂર થશેભારતીય રેલવેએ વેઇટ-લિસ્ટ ટિકિટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. આ નવા નિયમ પ્રમાણે હવે દરેક ટ્રેનમાં તમામ વર્ગો (AC 1, 2 અને 3; સ્લીપર અને ચૅરકાર)માં કુલ સીટોના ૨૫ ટકા સીટો માટે જ વેઇટ-લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત વેઇટ-લિસ્ટમાં હવે અપંગ ક્વોટા અને બીજી કૅટેગરીનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ પગલાથી હવે મુસાફરો માટે કન્ફર્મ ન થયેલી ટિકિટોની અનિશ્ચિતતા દૂર થશે.

રેલવે-અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે આ નવો નિયમ લાગુ થવાની તારીખ આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે. અત્યારે સામાન્ય રીતે વીસથી પચીસ ટકા વેઇટ-લિસ્ટ ટિકિટો મુસાફરી પહેલાં કન્ફર્મ કરવામાં આવે છે. વેઇટ-લિસ્ટ ટિકિટોની સંખ્યા વધુ હોવાને કારણે ઘણા મુસાફરો રિઝર્વ્ડ કોચમાં ચડતા હતા, જેને કારણે ટ્રેનોમાં ભીડ થતી હતી. એટલું જ નહીં, એને કારણે કન્ફર્મ ટિકિટ સાથે મુસાફરી કરતા પ્રવાસીઓઓને અસુવિધા પણ થતી હતી.



અત્યારના નિયમ પ્રમાણે AC-1માં ૩૦ સુધી, AC-2માં ૧૦૦, AC-૩માં ૩૦૦ અને સ્લીપરમાં ૪૦૦ સુધી વેઇટ-લિસ્ટ ટિકિટ જાહેર કરવામાં આવતી હતી. જોકે હવે નવા નિયમ પ્રમાણે જો કુલ સીટો ૪૦૦ જેટલી ઉપલબ્ધ હશે તો વધુમાં વધુ ૧૦૦ સીટ માટે જ વેઇટ-લિસ્ટ જાહેર કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2025 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK