Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નટ-બોલ્ટ વિનાનું અને દોરડાથી સીવેલું INSV કૌંડિન્ય જહાજ પ્રથમ વિદેશી સફર માટે ઓમાન જવા રવાના

નટ-બોલ્ટ વિનાનું અને દોરડાથી સીવેલું INSV કૌંડિન્ય જહાજ પ્રથમ વિદેશી સફર માટે ઓમાન જવા રવાના

Published : 30 December, 2025 10:11 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચમી સદીની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આ જહાજમાં કોઈ નટ-બોલ્ટ કે ખીલાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

જહાજ ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ (INSV) કૌંડિન્ય

જહાજ ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ (INSV) કૌંડિન્ય


ભારતીય નૌકાદળનું અનોખું જહાજ ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ (INSV) કૌંડિન્ય એની પહેલી ૧૪૦૦ કિલોમીટરની વિદેશી સફર માટે ઓમાન માટે રવાના થયું છે. પાંચમી સદીની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આ જહાજમાં કોઈ નટ-બોલ્ટ કે ખીલાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એનું લાકડાનું માળખું નારિયેળના દોરડાથી સીવેલું છે અને કુદરતી રેઝિનથી સીલ કરવામાં આવ્યું છે. આ પ્રાચીન, સીવેલું જહાજ ફક્ત ચોમાસાના પવનો પર આધાર રાખીને મસ્કત સુધીની પડકારજનક મુસાફરી કરશે. આ એક એવું જહાજ છે જેમાં કોઈ એન્જિન નથી, કોઈ સ્ટીલ પ્લેટ નથી અને એક પણ લોખંડની ખીલી નથી. આ જહાજ ગઈ કાલે ગુજરાતના પોરબંદરથી મસ્કત (ઓમાન) જવા માટે રવાના થયું હતું. આ જહાજ માત્ર મોજાંઓમાંથી પસાર નહીં થાય, ૧૫૦૦ વર્ષ જૂના ઇતિહાસને પણ પુનર્જીવિત કરશે.

INSV કૌંડિન્ય એની પ્રથમ વિદેશી સફર શરૂ કરી રહ્યું છે ત્યારે એ વિશ્વને કહી રહ્યું છે કે ભારતની તાકાત ફક્ત સ્ટીલનાં વિમાનવાહક જહાજોમાં જ નહીં, હજારો વર્ષોથી એના લોહીમાં વહેતા પ્રાચીન જ્ઞાનમાં પણ રહેલી છે. 



ભારતના વારસાનું તરતું સંગ્રહાલય


આ જહાજના બાંધકામની વાત કોઈ રોમાંચક ફિલ્મથી ઓછી નથી. INSV કૌંડિન્યની ડિઝાઇન આધુનિક સૉફ્ટવેર દ્વારા નહીં પરંતુ અજંતાની ગુફાઓમાં પાંચમી સદીના ચિત્રમાંથી લેવામાં આવી હતી. વૈજ્ઞાનિકો અને નૌકાદળના આર્કિટેક્ટ્સ પાસે કોઈ બ્લુપ્રિન્ટ નહોતી. તેમણે ફક્ત એ પ્રાચીન ચિત્રો અને શિલ્પોનો બારીકાઈથી અભ્યાસ કર્યો અને આ કલાકૃતિ બનાવી હતી.
INSV કૌંડિન્ય માત્ર એક જહાજ નથી, ભારતના વારસાનું તરતું સંગ્રહાલય છે. વહાણના સઢ પર પૌરાણિક પક્ષી ગંડાબેરુન્ડા અને સૂર્યનાં ચિત્રો કોતરવામાં આવ્યાં છે જે શક્તિ અને ઊર્જાનાં પ્રતીક છે. સિંહ જેવી પૌરાણિક આકૃતિ સિંહા યાલી વહાણના ધનુષ્ય પર કોતરવામાં આવી છે. હડપ્પન કાળની યાદ અપાવે એવું એક પથ્થરનું લંગર એના તૂતક પર મૂકવામાં આવ્યું છે જે આપણી પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના દરિયાઈ મૂળને જોડે છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, ભારતીય નૌકાદળ અને હોદી ઇનોવેશને આ પ્રોજેક્ટમાં સહયોગ કર્યો છે. આ એન્જિન વિનાનું જહાજ સમુદ્રનાં તોફાનોનો સામનો કરી શકે છે. જહાજનું નામ મહાન ભારતીય નેવિગેટર કૌંડિન્યના નામ પરથી રાખવામાં આવ્યું છે જેમણે સદીઓ પહેલાં સાઉથ-ઈસ્ટ એશિયામાં સફર કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2025 10:11 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK