Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જસ્ટિસ બી. આર. ગવઈ CJIની ખુરસી પર બેસનારી પ્રથમ બૌદ્ધ વ્યક્તિ બનશે, ૧૪ મેએ લેશે શપથ

જસ્ટિસ બી. આર. ગવઈ CJIની ખુરસી પર બેસનારી પ્રથમ બૌદ્ધ વ્યક્તિ બનશે, ૧૪ મેએ લેશે શપથ

Published : 13 May, 2025 08:41 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે ‘બંધારણ સર્વોચ્ચ છે.`

જસ્ટિસ બી. આર. ગવઈ

જસ્ટિસ બી. આર. ગવઈ


જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ૧૪ મેએ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેઓ આ પદ સંભાળનારા પ્રથમ બૌદ્ધ બનશે. તેઓ સોમવારે ઇન્દ્રપ્રસ્થ પાર્કસ્થિત શાંતિ સ્તૂપની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. બાબાસાહેબ આંબેડકર દ્વારા શરૂ કરાયેલી ધર્માંતરણ ચળવળ દરમ્યાન જસ્ટિસ ગવઈના પિતાએ ૧૯૫૬માં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ત્યારે પાંચ લાખ દલિતોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે તેમણે અને તેમના પરિવારે પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.


પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે ‘બંધારણ સર્વોચ્ચ છે. કેશવાનંદ ભારતી કેસમાં ૧૩ ન્યાયાધીશોની બેન્ચે પણ આ જ વાત કહી છે.’ ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૬ મેના રોજ જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈને ૨૦૨૫ની ૧૪ મેથી ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા હતા. જસ્ટિસ ગવઈ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. તેઓ ૧૩ મેએ વર્તમાન CJI સંજીવ ખન્નાના નિવૃત્તિના એક દિવસ પછી, ૧૪ મેએ એ પદ સંભાળવાના છે. CJI તરીકે જસ્ટિસ ગવઈનો કાર્યકાળ છ મહિનાથી વધુનો રહેશે. તેઓ ૨૦૨૫ની ૨૩ નવેમ્બરે નિવૃત્ત થશે.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2025 08:41 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK