Operation Sindoor: ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે ઓપરેશન સિંદૂર વિશે મહત્વપૂર્ણ વાતો જણાવી; આ ઓપરેશનમાંથી ઘણા બોધપાઠ શીખવા મળ્યા હોવાનું જણાવ્યું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારત (India) દ્વારા પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)ની સફળતા આખી દુનિયાએ જોઈ. આ ઓપરેશનની યાદો હજી પણ તાજા છે. ત્યારે ભારતીય સેના (Indian Army)ના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (Deputy Chief of Army Staff - Capability Development & Sustenance) લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહ (Liutenant General Rahul R Singh)એ ઓપરેશન સિંદૂર અંગે મોટું નિવેદન આપ્યું છે.
ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે કહ્યું કે, ‘આપણે ઓપરેશન સિંદૂરમાંથી ચોક્કસપણે ઘણા પાઠ શીખ્યા છીએ.’
ADVERTISEMENT
FICCIના એક કાર્યક્રમને સંબોધતા લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે કહ્યું કે, ‘યુદ્ધ એક સરહદ પર થઈ રહ્યું હતું પરંતુ વિરોધ ત્રણ હતો.’
તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાન મોખરે હતું પણ ચીન તેને શક્ય તેટલી મદદ કરી રહ્યું હતું. જોકે, આમાં આશ્ચર્યજનક કંઈ નથી. છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાન જે શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યું છે તેમાંથી ૮૧ ટકા શસ્ત્રો ચીનના છે. ચીન અન્ય શસ્ત્રોની સાથે તેના શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું હતું. તે જીવંત પ્રયોગશાળાની જેમ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું હતું. પાકિસ્તાનને ટેકો આપવામાં તુર્કીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે ડીજીએમઓ સ્તરની વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાનને ચીન તરફથી આપણા મહત્વપૂર્ણ વેક્ટર્સ વિશે લાઇવ અપડેટ્સ મળી રહ્યા હતા. આપણને એક મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીની જરૂર છે.’
#WATCH | Delhi: At the event `New Age Military Technologies` organised by FICCI, Deputy Chief of Army Staff (Capability Development & Sustenance), Lt Gen Rahul R Singh says, "Air defence and how it panned out during the entire operation was important... This time, our population… pic.twitter.com/uF2uXo7yJm
— ANI (@ANI) July 4, 2025
લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કરવા બદલ ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. તેમણે લક્ષ્ય પસંદગી, આયોજનમાં વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર, ટેકનોલોજીના એકીકરણ અને માનવ બુદ્ધિમત્તા પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરમાંથી કેટલાક પાઠ શીખવા મળ્યા છે. નેતૃત્વ દ્વારા આપવામાં આવેલ વ્યૂહાત્મક સંદેશ સ્પષ્ટ હતો. થોડા વર્ષો પહેલાની જેમ પીડા સહન કરવાની કોઈ જગ્યા નથી. લક્ષ્યોનું આયોજન અને પસંદગી ટેકનોલોજી અને માનવ બુદ્ધિનો ઉપયોગ કરીને એકત્રિત કરવામાં આવેલા ઘણા બધા ડેટા પર આધારિત હતી. કુલ ૨૧ લક્ષ્યોને ઓળખવામાં આવ્યા હતા, જેમાંથી નવ લક્ષ્યોને લક્ષ્ય બનાવવું સમજદારીભર્યું રહેશે. ફક્ત છેલ્લા દિવસે અથવા છેલ્લા કલાકે જ નક્કી કરવામાં આવ્યું હતું કે આ નવ લક્ષ્યોને લક્ષ્ય બનાવવામાં આવશે.’
તમને જણાવી દઈએ કે, ભારતે પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)નો બદલો લેવા માટે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. ભારતીય દળોએ ૬-૭મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ કાર્યવાહી બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું અને ભારત પર હુમલો કર્યો. પાકિસ્તાને મિસાઇલો અને ડ્રોન દ્વારા હુમલો કર્યો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. સેનાએ પાકિસ્તાનના મિસાઇલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા.

