ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે હાજર છે અને ઘાયલોને નજીકની હૉસ્પિટલોમાં (RCB Victory Parade Stampede) દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત પાછળ આયોજકોની બેદરકારી અને ભીડ નિયંત્રણમાં ખામી હોવાની શંકા છે. પોલીસ પ્રશાસન સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
IPL 2025 ફાઇનલમાં બુધવારે IPLમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (RCB) ની શાનદાર જીતનો જશ્ન એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો છે. કારણ કે બૅંગલુરુના (RCB Victory Parade Stampede) ચિન્નસ્વામી સ્ટેડિયમની બહાર RCB ની વિજય પરેડ પહેલા થયેલી નાસભાગની ઘટના બની હ હતી. મળતી માહિતી મુજબ, સ્ટેડિયમની બહાર ભારે ભીડ વચ્ચે થયેલી ભાગદોડમાં એક મહિલા અને બે પુરુષો સહિત અંદાજે સાત જેટલા લોકોના મોત થયા છે. ઘટનાનો ભયાવહ વીડિયો હવે સામે આવ્યો છે.
View this post on Instagram
ADVERTISEMENT
આ અકસ્માત ત્યારે થયો જ્યારે 18 વર્ષ પછી RCB ને IPL ટ્રૉફી (RCB Victory Parade Stampede) જીતવાની ઉજવણી કરવા માટે હજારો લોકો સ્ટેડિયમ જવા માટે અહીં પહોંચ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઉજવણી દરમિયાન, સ્ટેડિયમની બહાર અને અંદર મોટી ભીડ અચાનક બેકાબૂ બની ગઈ, જેના કારણે અરાજકતા સર્જાઈ. ઘણા લોકો કચડાઈ ગયા અને 12 કરતાં વધુ થયા. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે હાજર છે અને ઘાયલોને નજીકની હૉસ્પિટલોમાં (RCB Victory Parade Stampede) દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત પાછળ આયોજકોની બેદરકારી અને ભીડ નિયંત્રણમાં ખામી હોવાની શંકા છે. પોલીસ પ્રશાસન સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે. મૃતકોની ઓળખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. - કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે નાસભાગની ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "હું હજી સુધી મૃતકો કે ઘાયલોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરી શકતો નથી, પરંતુ હું ઘટનાસ્થળે જ જઈ રહ્યો છું." તેમણે કહ્યું કે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ભાવનાત્મક ચાહકો હાજર હતા અને અમે સુરક્ષા માટે 5000 થી વધુ સ્ટાફ તહેનાત કર્યો હતો. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં વિગતવાર માહિતી આપવામાં આવશે. આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રૉફી જીતી.
1 parade, 0 brains, & now 7 funerals. What kind of idiots plans a mass celebration without barricades, without strategy?
— Mastikhor ? (@ventingout247) June 4, 2025
This isn`t a celebration gone wrong, this is an administration that went brain-dead?#chinnaswamystadium #stampede #RCB
pic.twitter.com/3kwnruvZws
તમને જણાવી દઈએ કે આઈપીએલ 2025 (RCB Victory Parade Stampede) ની ફાઇનલ મૅચમાં આરસીબીએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પહેલીવાર ટાઇટલ પર કબજો કર્યો હતો. આઈપીએલ 2025 જીત્યા પછી, જ્યારે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (આરસીબી) ટીમ બુધવારે બૅંગલુરુ પહોંચી, ત્યારે હજારો ચાહકોએ ઍરપોર્ટની બહાર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જ્યારે ટીમ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને મળવા માટે વિધાનસભા જવા રવાના થઈ, ત્યારે રસ્તાની બન્ને બાજુ ઉભેલા ચાહકો તાળીઓ પાડી રહ્યા હતા અને ટીમ માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આરસીબીએ મંગળવારે પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને 18 વર્ષમાં પહેલીવાર આઈપીએલ ટાઇટલ જીત્યું. મુખ્ય પ્રધાનને મળ્યા પછી, ટીમની વિજય પરેડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાવાની હતી, જોકે હવે તે કદાચ રદ થાય તેવી શક્યતા છે.

