Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૬૦ પ્રકારનાં શાકભાજી, દરેક શાક ઓછામાં ઓછું ૫૦ કિલો

૬૦ પ્રકારનાં શાકભાજી, દરેક શાક ઓછામાં ઓછું ૫૦ કિલો

Published : 04 January, 2026 07:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાકંભરી પૂર્ણિમાએ કરી રોડના સ્વામી સમર્થ મઠમાં પાંચ ટન શાકભાજીનો શણગાર

વિજયદાતા શ્રી સ્વામી સમર્થ મઠ

વિજયદાતા શ્રી સ્વામી સમર્થ મઠ


કરી રોડમાં આવેલા વિજયદાતા શ્રી સ્વામી સમર્થ મઠમાં ગઈ કાલે શાકંભરી પૂર્ણિમા અને શાકંભરી નવરાત્રિનો ઉત્સવ ભક્તિભાવ સાથે પાર પડ્યો હતો. એમાં પાંચ ટન શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટી શ્રી લોકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મઠની સ્થાપના મારા પિતા ગુરુવર્ય શ્રી શ્રી હરિઓમજી વિજયાનંદે બે વર્ષ પહેલાં કરી હતી. પહેલાં અમે હિન્દુ ધર્મના સનાતન ધર્મના બધા જ તહેવારની ઉજવણી ઘરે કરતા હતા, પણ બે વર્ષથી મઠમાં જ કરીએ છીએ. શાકંભરી પૂર્ણિમાએ અન્નપૂર્ણાનું અને એમાં પણ ખાસ કરીને કરીને લીલાં શાકભાજીનું મહત્ત્વ હોય છે. અમે શ્રી સ્વામી સમર્થનો શણગાર શાકભાજીથી કર્યો હતો. ૬૦ પ્રકારનાં શાકભાજી હતાં અને દરેક શાક ઓછામાં ઓછું ૫૦ કિલો હતું. અંદાજે પાંચ ટન શાકભાજીનો એમાં ઉપયોગ થયો હતો. ત્રણ દિવસનો આ ઉત્સવ હતો અને ગઈ કાલે એનો છેલ્લો દિવસ હતો. રાતે ૮.૩૦ વાગ્યે આરતી થયા બાદ બધાં શાકભાજી ભક્તોને પ્રસાદ તરીકે વહેંચી દેવામાં આવ્યાં હતાં. શાકભાજીની સજાવટ માટે ૩૦ યુવકોએ ૩ દિવસ સખત મહેનત કરી હતી. ફક્ત મૂર્તિ જ નહીં આખો મઠ, મઠની દીવાલો શાકભાજીથી સજાવવામાં આવ્યાં હતાં.’


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK