Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અલીગઢમાં પાંચ મંદિરોની દીવાલ પર લખાયું I Love Muhammad

અલીગઢમાં પાંચ મંદિરોની દીવાલ પર લખાયું I Love Muhammad

Published : 26 October, 2025 12:40 PM | IST | Aligarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણી સેનાએ વિરોધ કર્યો અને આરોપ મૂક્યો કે ગામના મૌલવીના ઇશારે આ થઈ રહ્યું છે, પણ કોઈ કાર્યવાહી નથી થતી

વાયરલ તસવીર

વાયરલ તસવીર


ઉત્તર પ્રદેશના અલીગઢમાં લોધા વિસ્તારમાં કેટલાક લોકોએ તોફાન કરવાના ઇરાદાથી હિન્દુ મંદિરોની દીવાલો પર I Love Mohammad લખી નાખ્યું હતું. આ લખાણ સ્પ્રે-પ્રેઇન્ટ કે ચોકથી કરવામાં આવ્યું હતું. ભગવાનપુર અને બુલાકગઢીનાં પાંચ મંદિરોની દીવાલો પર અરાજક તત્ત્વોએ કરેલા આ કારસ્તાનથી સ્થાનિક હિન્દુ સમુદાયમાં ગુસ્સો ફેલાઈ ગયો હતો. આ ઘટના શુક્રવારે રાતે અથવા તો શનિવારે વહેલી સવારે થઈ હતી. આ મંદિરોમાં શિવ મંદિર અને હનુમાન મંદિરોને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. 

ગામની કરણી સેનાના યુવાનોએ આવું કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. કરણી સેનાએ આરોપ લગાવ્યો હતો કે બુલાકગઢી ગામમાં એક મૌલવી છે તેના કહેવા પર આ બધું થઈ રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી; ઊલટાનું અમને જ રોકીને પકડવાની ધમકી આપી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2025 12:40 PM IST | Aligarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK