Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં પણ શાસકોને દોડાવી-દોડાવીને મારવા પડશે

ભારતમાં પણ શાસકોને દોડાવી-દોડાવીને મારવા પડશે

Published : 03 January, 2026 10:44 AM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિયાણાની જનનાયક જનતા પાર્ટીના પ્રમુખ અજય સિંહ ચૌટાલાનું વિવાદાસ્પદ નિવેદન

અજય સિંહ ચૌટાલા

અજય સિંહ ચૌટાલા


હરિયાણાની જનનાયક જનતા પાર્ટી (JJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અજય સિંહ ચૌટાલાએ એક વિવાદાસ્પદ નિવેદન આપતાં વિવાદ થયો છે. અજય ચૌટાલાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. નેપાલ, બંગલાદેશ અને શ્રીલંકાનાં ઉદાહરણો આપીને તેઓ ભારતમાં પણ શાસકોનો પીછો કરવાનો અને માર મારવાનો સમય આવી ગયો છે એમ બોલી રહ્યા છે. અજય ચૌટાલા ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાના પિતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાના પુત્ર છે.

અજય ચૌટાલાએ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં આયોજિત યુવા યોદ્ધા સંમેલનમાં સ્ટેજ પરથી કહ્યું હતું કે ‘ભારતના આ શાસકોને પણ તેમના સિંહાસન પરથી ખેંચીને રસ્તા પર દોડાવી-દોડાવીને મારવા પડશે. હવે સમય આવી ગયો છે કે ભારતમાં પણ શાસકોને તેમના સિંહાસન પરથી ખેંચી કાઢવા જોઈએ, શેરીઓમાં દોડાવવા જોઈએ અને માર મારવો જોઈએ. તેમને દેશ છોડવા માટે મજબૂર કરવા જોઈએ. બંગલાદેશ, નેપાલ અને શ્રીલંકા જેવાં આંદોલનો અહીં ચલાવવાં જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2026 10:44 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK