Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવરાત્રિમાં કાશીમાં નહીં થાય માંસાહાર

નવરાત્રિમાં કાશીમાં નહીં થાય માંસાહાર

Published : 30 March, 2025 07:30 AM | Modified : 31 March, 2025 07:09 AM | IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માછલી અને માંસની દુકાનો આજથી રામનવમી સુધી બંધ રાખવાનો આદેશ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજથી શરૂ થઈ રહેલી ચૈત્રી નવરાત્રિ પહેલાં વારાણસી નગર નિગમે એક મોટો નિર્ણય લઈને ૩૦ માર્ચથી ૬ એપ્રિલ સુધીના સમયગાળામાં માંસ, માછલી અને મરઘી જેવા પદાર્થોનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે અને આ નિયમનું સખતાઈપૂર્વક પાલન કરવામાં આવશે. આવો સામાન વેચતી તમામ દુકાનો નવરાત્રિમાં બંધ રહેશે.


આ નિર્ણય મુજબ વારાણસી નગર નિગમ ક્ષેત્રમાં તમામ માંસ, મરઘી અને માછલી વેચતી દુકાનો સંપૂર્ણપણે બંધ રહેશે. જે વિસ્તારમાં માતાજીનાં મંદિર છે એ વિસ્તારોમાં વિશેષ સાફસફાઈનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલાં વારાણસી નગર નિગમે જાન્યુઆરીમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના બે કિલોમીટરના પરિસરમાં માંસ-માછલીનાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2025 07:09 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK