Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સપનામાં ભગવાન શિવ આવ્યા એટલે મોહમ્મદ ધર્મપરિવર્તન કરીને મહાદેવ બન્યો

સપનામાં ભગવાન શિવ આવ્યા એટલે મોહમ્મદ ધર્મપરિવર્તન કરીને મહાદેવ બન્યો

Published : 03 November, 2025 06:00 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘મને સપનામાં અવારનવાર ભગવાન શિવ પ્રકટ થઈને કહેતા હતા કે તારા મૂળ ધર્મમાં આવીને મારી સેવા કર. આ વાત મને સ્પર્શી ગઈ એટલે મેં બાકીનું જીવન શિવજીની ભક્તિમાં સમર્પિત કરવાનું નક્કી કર્યું.’ 

સપનામાં ભગવાન શિવ આવ્યા એટલે મોહમ્મદ ધર્મપરિવર્તન કરીને મહાદેવ બન્યો

સપનામાં ભગવાન શિવ આવ્યા એટલે મોહમ્મદ ધર્મપરિવર્તન કરીને મહાદેવ બન્યો


કોઈ પણ વ્યક્તિ પાસે પરાણે ધર્મપરિવર્તન કરાવવું એ ગુનો છે. જોકે કોઈ વ્યક્તિ જાતે જ સપનામાં આવેલા વિચારને અમલમાં મૂકીને ધર્મપરિવર્તન કરી લે તો એ નવાઈની વાત તો ખરી જ. મધ્ય પ્રદેશના ખંડવામાં મોહમ્મદ ખાન નામની એક વ્યક્તિએ થોડા દિવસ પહેલાં શહેરના પ્રાચીન મહાદેવગઢ મંદિરમાં જઈને સ્વેચ્છાએ હિન્દુ ધર્મ અપનાવ્યો એટલું જ નહીં, તેણે એ માટે માથાનું મુંડન કરાવી લીધું અને નવું બદલેલું નામ રાખ્યું મહાદેવ. હવે મહાદેવભાઈને લોકો પૂછી રહ્યા છે કે તમે ધર્મપરિવર્તન કેમ કર્યું? તો તેઓ કહે છે, ‘મને સપનામાં અવારનવાર ભગવાન શિવ પ્રકટ થઈને કહેતા હતા કે તારા મૂળ ધર્મમાં આવીને મારી સેવા કર. આ વાત મને સ્પર્શી ગઈ એટલે મેં બાકીનું જીવન શિવજીની ભક્તિમાં સમર્પિત કરવાનું નક્કી કર્યું.’ 
ખંડવાના પૌરાણિક મહાદેવગઢ મંદિરમાં આ પહેલાં પણ અનેક લોકો પોતાના મૂળ ધર્મમાં પાછા આવવા માટે ધર્મપરિવર્તન કરી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2025 06:00 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK