Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છૂટાછેડા લેવા હોય તો શું પતિને મારે ભરણપોષણ આપવું પડશે?

છૂટાછેડા લેવા હોય તો શું પતિને મારે ભરણપોષણ આપવું પડશે?

Published : 19 August, 2025 09:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિ કરતાં પાંચગણું કમાતી મહિલાએ સોશ્યલ મીડિયા પર સવાલ ઊભો કર્યો

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


સરકારી નોકરી કરતા પતિથી પાંચગણું વધારે કમાતી એક મહિલાએ લગ્નજીવનમાં પડેલી મુશ્કેલીથી કંટાળીને ડિવૉર્સ લેવાનું નક્કી કર્યું છે. જોકે એ માટે તેણે સોશ્યલ મીડિયા પર સવાલ પૂછ્યો છે કે શું એને કારણે મારે પતિને ભરણપોષણ આપવું પડશે? ૩૫ વર્ષની એક મહિલાએ રેડિટ પર લાંબી પોસ્ટ લખીને પોતાના લગ્નજીવનની મુશ્કેલીઓ શૅર કરી હતી. તેણે એમાં લખ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં હતાં. હવે પૈસા માગ્યા વિના પરસ્પર સહમતીથી છૂટાછેડા માટે પતિ તૈયાર નહીં થાય એટલે મારે માનસિક ક્રૂરતાના આધાર પર તેનો વિરોધ કરવો પડશે. પતિ સરકારી નોકરી કરે છે અને લગભગ મહિને ૧.૨ લાખ રૂપિયા કમાય છે, જ્યારે હું IT ક્ષેત્રમાં વર્ષે ૭૫ લાખ રૂપિયા કમાઉં છું.’


પતિ પર આર્થિક અને ઇમોશનલ રીતે જુલમ કરવાનો આરોપ લગાવીને તેણે લખ્યું હતું, ‘મને ડર છે કે તે પોતાના પદ અને પ્રભાવનો ઉપયોગ કરીને મારું શોષણ કર્યા કરશે. હું સરકારી આવાસ છોડીને અલગ રહું છું. શું મારે પતિને ઍલિમની આપવી પડે? મારી પાસે તેના ગાળો બોલતા કૉલ-રેકૉર્ડ્‍સ અને બૅન્ક-ખાતાની વિગતો છે.’



સોશ્યલ મીડિયા પર એક ટિપ્પણી આવી હતી કે જો તમારા પગાર મુજબની તેની જીવનશૈલી રહી હોય તો તે દાવો કરી શકે છે, જ્યારે બીજાએ સલાહ આપી હતી કે જો તમે તેનું ઘર છોડી દો અને તમારી કમાણી પર ઘર નભતું ન હોય તો તમારે ઍલિમની આપવી નહીં પડે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2025 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK