Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅપ્ટન્સીની વધારાની જવાબદારીથી ઋતુરાજની બૅટિંગ પર ખરાબ અસર થઈ : રવિચન્દ્રન અશ્વિન

કૅપ્ટન્સીની વધારાની જવાબદારીથી ઋતુરાજની બૅટિંગ પર ખરાબ અસર થઈ : રવિચન્દ્રન અશ્વિન

Published : 20 May, 2026 02:31 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સીઝનમાં ૨૦૦ રન કરનાર ખેલાડીઓમાં 120.67 સૌથી ઓછા સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી છે ઋતુરાજ ગાયકવાડે.

ઋતુરાજ ગાયકવાડ

ઋતુરાજ ગાયકવાડ


ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં સતત ત્રીજી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટૉપ-ફોરમાં સ્થાન મજબૂત કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેની આગેવાનીમાં ચેન્નઈ ૨૦૨૪થી હમણાં સુધી ૩૨ મૅચમાંથી ૧૪ મૅચ જીત્યું છે અને ૧૮ મૅચમાં હારનો સામનો કર્યો છે. કૅપ્ટન તરીકેની જવાબદારીને કારણે ઋતુરાજ ગાયકવાડની બૅટિંગ પર વિપરીત અસર પડી છે એવું ચેન્નઈના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્ર અશ્વિનને લાગે છે. હૈદરાબાદ સામે તેણે એક પણ બાઉન્ડરી વગર ૨૧ બૉલમાં માત્ર ૧૫ રન કર્યા હતા. રવિચન્દ્ર અશ્વિને કહ્યું હતું કે ‘કૅપ્ટન્સીની વધારાની જવાબદારી ઋતુરાજ ગાયકવાડની બૅટિંગ પર પણ અસર કરતી હોય એવું લાગે છે. ચેન્નઈ જેવી ટીમની અપાર અપેક્ષાઓ સાથે કૅપ્ટન્સીનો બોજ ઉઠાવવાથી ચોક્કસપણે કોઈ પણ ખેલાડી પર નોંધપાત્ર અસર પડી શકે છે. ટીમના પુનર્નિર્માણના સમયમાં આગળ વધવા માટે થોડી ધીરજની જરૂર છે.’ કૅપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડે ૨૦૨૪માં ૧૪ મૅચમાં ૫૮૩ રન, ૨૦૨૫માં પાંચ મૅચમાં ૧૨૨ રન અને ૨૦૨૬માં ૧૩ મૅચમાં ૩૨૧ રન કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2026 02:31 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK