Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશી મુસ્તફિઝુર રહમાનને ભારતમાં રમાડશો તો સ્ટેડિયમ પર હુમલો કરીને પિચને નુકસાન પહોંચાડીશું

બંગલાદેશી મુસ્તફિઝુર રહમાનને ભારતમાં રમાડશો તો સ્ટેડિયમ પર હુમલો કરીને પિચને નુકસાન પહોંચાડીશું

Published : 29 December, 2025 09:31 AM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં IPL 2026 પહેલાં ધાર્મિક નેતાઓએ આપી ચેતવણી...

૩૦ વર્ષના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને કોલકાતા નાઇટ રાઇડર્સે ૯.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે

૩૦ વર્ષના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને કોલકાતા નાઇટ રાઇડર્સે ૯.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે


ઉજ્જૈનના ધાર્મિક નેતાઓએ IPL 2026ના એકમાત્ર બંગલાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહમાન વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું છે. બંગલાદેશમાં હિન્દુઓ પર થયેલા તાજેતરના હુમલાઓ પર ગુસ્સો વ્યક્ત કરતાં ધાર્મિક નેતાઓએ ચોંકાવનારી ચેતવણી આપી છે. 
ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય પૂજારી મહાવીર નાથે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જો બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને આગામી સીઝનમાં રમવાની મંજૂરી આપવામાં આવશે

તો IPL 2026ની મૅચોમાં ખલેલ પાડવામાં આવશે. સ્ટેડિયમ પર હુમલો થશે અને એ બંગલાદેશી ક્રિકેટરને લગતી મૅચોને રોકવા માટે પિચને નુકસાન પહોંચાડવામાં આવશે. દેશના અધિકારીઓ બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને અવગણી રહ્યા છે.’ અહેવાલ અનુસાર ભારતમાં અન્ય ધાર્મિક સંગઠનોએ પણ આવી જ ચેતવણીઓ જારી કરી શકે છે.



૩૦ વર્ષના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને કોલકાતા નાઇટ રાઇડર્સે ૯.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ૨૦૧૬થી તેણે IPLમાં પાંચ ટીમ માટે ૬૦ મૅચ રમી છે જેમાં તેણે ૬૫ વિકેટ ઝડપી છે. અહેવાલ એવા પણ મળી રહ્યા છે કે નૅશનલ ડ્યુટીને કારણે IPL 2026માં અમુક જ મૅચ રમી શકશે. 


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2025 09:31 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK