Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશ ક્રિકેટ બોર્ડની ત્રિકોણીય સિરીઝ રમવાના આમંત્રણને નકારી કાઢ્યું પાકિસ્તાને

બંગલાદેશ ક્રિકેટ બોર્ડની ત્રિકોણીય સિરીઝ રમવાના આમંત્રણને નકારી કાઢ્યું પાકિસ્તાને

Published : 15 November, 2025 04:01 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ડિસેમ્બરમાં શ્રીલંકા સાથે ત્રિકોણીય T20 સિરીઝમાં ભાગ લેવાના બંગલાદેશના આમંત્રણને નકારી કાઢ્યું છે. T20 વર્લ્ડ કપની તૈયારી માટે બંગલાદેશ આ સિરીઝ વિશે વિચારી રહ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ડિસેમ્બરમાં શ્રીલંકા સાથે ત્રિકોણીય T20 સિરીઝમાં ભાગ લેવાના બંગલાદેશના આમંત્રણને નકારી કાઢ્યું છે. T20 વર્લ્ડ કપની તૈયારી માટે બંગલાદેશ આ સિરીઝ વિશે વિચારી રહ્યું હતું. ૨૦૨૬ના ફેબ્રુઆરી-માર્ચમાં ભારત-શ્રીલંકામાં મેન્સ T20 વર્લ્ડ કપ રમવાનું આયોજન છે. 

પાકિસ્તાને પોતાના પ્લેયર્સના વર્કલોડને મૅનેજ કરવા માટે આ સિરીઝમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનની ટીમના પ્લેયર્સ આગામી બે મહિનામાં બિગ બૅશ લીગ અને અન્ય ઇન્ટરનૅશનલ સિરીઝમાં વ્યસ્ત હશે. શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ રમ્યા બાદ પાકિસ્તાન ઘરઆંગણે ઝિમ્બાબ્વે-શ્રીલંકા સાથે ત્રિકોણીય T20 સિરીઝ રમશે.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2025 04:01 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK