Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે વિજય હઝારે ટ્રોફીની મૅચમાં મેદાનમાં ઊતરશે વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ ઐયર

આજે વિજય હઝારે ટ્રોફીની મૅચમાં મેદાનમાં ઊતરશે વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ ઐયર

Published : 06 January, 2026 01:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ પહેલાં ત્રણેય ક્રિકેટર્સ પાસે પોતાનો શાનદાર લય જાળવવા કે લય પાછો મેળવવાની આ સારી તક રહેશે

વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, શુભમન ગિલ

વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, શુભમન ગિલ


વિજય હઝારે ટ્રોફીની વર્તમાન સીઝનના ગ્રુપ-સ્ટેજ રાઉન્ડની પાંચ મૅચ પછી ટીમો હવે છેલ્લી બે મૅચ રમવા સજ્જ થઈ છે. આજે અને ૮ જાન્યુઆરીએ દરેક ટીમ પોતાની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. ૧૨થી ૧૮ જાન્યુઆરી વચ્ચે ક્વૉર્ટર ફાઇનલથી ફાઇનલ સુધીની મૅચ રમાશે. પગમાં ઇન્જરીને કારણે મુંબઈનો રેગ્યુલર કૅપ્ટન શાર્દૂલ ઠાકુર ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. વાપસી કરી રહેલા શ્રેયસ ઐયરને બાકીની મૅચ માટે કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.

લીગ-સ્ટેજ પછી શ્રેયસ ઐયરનું કૅપ્ટન તરીકે ચાલુ રહેવું એ નૅશનલ ડ્યુટી માટે ફિટનેસ ક્લિયરન્સના નિર્ણય પર નિર્ભર રહેશે. ૧૧થી ૧૮ જાન્યુઆરી વચ્ચે આયોજિત ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ માટેની ટીમમાં પણ શ્રેયસ ઐયર સિલેક્ટ થયો છે. બરોળની ઇન્જરીની સારવાર બાદ શ્રેયસ ઐયર આજે પહેલી વખત પ્રોફેશનલ મૅચ રમવા ઊતરશે.



ફૂડ-પૉઇઝિંગનો સામનો કર્યા બાદ શુભમન ગિલ આજે પંજાબ વતી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માટે રમવા ફિટ છે. ઓછામાં ઓછી બે મૅચ રમવાની પ્રતિબદ્ધતા પૂરી કરવા છતાં વિરાટ કોહલી આજે દિલ્હી માટે રમવા ઊતરશે. ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ પહેલાં ત્રણેય ક્રિકેટર્સ પાસે પોતાનો શાનદાર લય જાળવવા કે લય પાછો મેળવવાની આ સારી તક રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2026 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK