Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ટીમ રોહિત-વિરાટ વિના ૨૦૨૭નો વર્લ્ડ કપ નહીં જીતી શકે, તેમને ટેસ્ટ-ક્રિકેટમાં પણ પાછા લાવો : મોહમ્મદ કૈફ

ભારતીય ટીમ રોહિત-વિરાટ વિના ૨૦૨૭નો વર્લ્ડ કપ નહીં જીતી શકે, તેમને ટેસ્ટ-ક્રિકેટમાં પણ પાછા લાવો : મોહમ્મદ કૈફ

Published : 02 December, 2025 01:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોહમ્મદ કૈફે વધુમાં કહ્યું, જો વિરાટ અને રોહિત હજી પણ ટેસ્ટ-ક્રિકેટ રમી રહ્યા હોત તો સાઉથ આફ્રિકાના કોચે અભદ્ર નિવેદન આપ્યું ન હોત

મોહમ્મદ કૈફ

મોહમ્મદ કૈફ


ભારતના સ્ટાર બૅટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વન-ડે ફૉર્મેટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાના ભવિષ્ય વિશેના તમામ પ્રશ્નોને શાંત પાડી દીધા છે. આ બન્ને અનુભવી ક્રિકેટર્સને ટેકો આપતાં ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું હતું કે ‘આ ભારતીય ટીમ રોહિત અને વિરાટ વિના ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપ જીતી શકતી નથી લખી લો. ઑસ્ટ્રેલિયા વન-ડે સિરીઝમાં આપણો વાઇટવૉશ થયો હોત, પરંતુ આ બન્નેએ મૅચ જીતવામાં મદદ કરીને ટીમને બચાવી.’  

મોહમ્મદ કૈફે વધુમાં કહ્યું કે ‘એ સ્પષ્ટ છે કે જો વિરાટ અને રોહિત હજી પણ ટેસ્ટ-ક્રિકેટ રમી રહ્યા હોત તો સાઉથ આફ્રિકાના કોચે અભદ્ર નિવેદન આપ્યું ન હોત. મેદાન પર તેમની માત્ર હાજરી પૂરતી છે. જ્યારે તેઓ વન-ડે ક્રિકેટમાં પાછા ફર્યા ત્યારે મેદાન પરની ઊર્જા જુઓ. તેમને ટેસ્ટ-ક્રિકેટમાં પાછા લાવો, કારણ કે આપણે એ ફૉર્મેટમાં ખરાબ રીતે હારી રહ્યા છીએ. તમારે ટીમમાં સિનિયર ખેલાડીઓની જરૂર છે. હું તો માનું છું કે ટીમ-સિલેક્શન દરમ્યાન પણ બન્નેને મીટિંગમાં બેસાડવા જોઈએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2025 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK