Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આ વર્લ્ડ કપ એ દરેક ક્ષણનો આનંદ માણવા અને વધુ પ્રેશર ન લેવા વિશે છે : ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર

આ વર્લ્ડ કપ એ દરેક ક્ષણનો આનંદ માણવા અને વધુ પ્રેશર ન લેવા વિશે છે : ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર

Published : 27 September, 2025 10:29 AM | Modified : 27 September, 2025 10:46 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરઆંગણે વર્લ્ડ કપ રમવાના પ્રેશર વિશે વાત કરતાં ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું, `૧૨ વર્ષ પછી ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે અને મને લાગે છે કે એ આપણા બધા માટે ખૂબ જ સારો રહેશે`

આઠેય ટીમની કૅપ્ટન્સે ટ્રોફી-ફોટોશૂટ અને પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી હતી

આઠેય ટીમની કૅપ્ટન્સે ટ્રોફી-ફોટોશૂટ અને પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી હતી


વિમેન્સ વન-ડે વર્લ્ડ કપના પ્રારંભ પહેલાં ગઈ કાલે બૅન્ગલોરમાં યજમાન ભારત અને બંગલાદેશ સહિત આઠેય ટીમની કૅપ્ટન્સે ટ્રોફી-ફોટોશૂટ અને પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી હતી.


ઘરઆંગણે વર્લ્ડ કપ રમવાના પ્રેશર વિશે વાત કરતાં ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે આ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘જ્યારે મેં રમવાનું શરૂ કર્યું હતું ત્યારે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મને મારા દેશની કૅપ્ટન્સી કરવાની તક મળશે, એ ફક્ત એક સ્વપ્ન હતું. ૧૨ વર્ષ પછી ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે અને મને લાગે છે કે એ આપણા બધા માટે ખૂબ જ સારો રહેશે. આ વર્લ્ડ કપ એ દરેક ક્ષણનો આનંદ માણવા અને વધુપડતું પ્રેશર ન લેવા વિશે છે. અમે ડ્રેસિંગ રૂમમાં પણ આ બાબતોની ચર્ચા કરતા નથી. અમે અહીં ફક્ત ક્રિકેટ રમવા માટે છીએ અને અમારું ધ્યાન ફક્ત ક્રિકેટ પર છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2025 10:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK