Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ત્રિપુરાની અસ્મિતા ડે માટે જાહેર થયેલો ઉત્તર પ્રદેશ સરકારનો ૧.૫ કરોડ રૂપિયાનો પુરસ્કાર પાછો ખેંચાશે?

ત્રિપુરાની અસ્મિતા ડે માટે જાહેર થયેલો ઉત્તર પ્રદેશ સરકારનો ૧.૫ કરોડ રૂપિયાનો પુરસ્કાર પાછો ખેંચાશે?

Published : 08 August, 2026 02:26 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય જુડો પ્લેયર અસ્મિતા ડેએ હાલમાં કૉમનવેલ્થ ગેમ્સ ઇતિહાસમાં ભારતનો પહેલો જુડો ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. ૪૮ કિલો કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી તેના માટે ૧.૫ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયું હતું.

અસ્મિતા ડે

અસ્મિતા ડે


ભારતીય જુડો પ્લેયર અસ્મિતા ડેએ હાલમાં કૉમનવેલ્થ ગેમ્સ ઇતિહાસમાં ભારતનો પહેલો જુડો ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. ૪૮ કિલો કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી તેના માટે ૧.૫ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયું હતું.
જોકે ૨૩ વર્ષની અસ્મિતા ડે ત્રિપુરામાં જન્મેલી હોવાથી આ રોકડ પુરસ્કાર મેળવવાની લાયકાત વિશે ચર્ચા શરૂ થઈ છે. રમતગમતના આવા પુરસ્કારો માટે સરકારે ૨૦૨૪માં ત્રણ પાત્રતા માપદંડો રજૂ કર્યા હતા, એમાંથી અસ્મિતા ડે માત્ર ઇન્ટરનૅશનલ રમતગમત કાર્યક્રમમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો માત્ર એક માપદંડ પૂર્ણ કરી રહી છે. 
પહેલો માપદંડ એ છે કે ખેલાડીએ ઉત્તર પ્રદેશનો વતની હોવો જોઈએ અને બીજો માપદંડ છે કે ખેલાડી ઉત્તર પ્રદેશની માન્ય કૉલેજ અથવા યુનિવર્સિટીમાં ઓછામાં ઓછાં બે વર્ષ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ૨૦૨૩થી અસ્મિતા ડે  ઉત્તર પ્રદેશ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2026 02:26 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK