Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોવિંદાએ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં કર્યાં દર્શન

ગોવિંદાએ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં કર્યાં દર્શન

Published : 31 March, 2025 04:39 PM | IST | Ujjain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટર અને રાજકારણી બન્ને ફીલ્ડમાં પોતાની હાજરી નોંધાવી ચૂકેલા ગોવિંદાએ હાલમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી. ગોવિંદાની આ આધ્યાત્મિક મુલાકાતના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.

ગોવિંદાનો વાયરલ ફોટો

ગોવિંદાનો વાયરલ ફોટો


ઍક્ટર અને રાજકારણી બન્ને ફીલ્ડમાં પોતાની હાજરી નોંધાવી ચૂકેલા ગોવિંદાએ હાલમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી. ગોવિંદાની આ આધ્યાત્મિક મુલાકાતના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે આવ્યું છે અને ભગવાન શિવનાં ૧૨માંના ૧ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરનું આધ્યાત્મિક મહત્ત્વ ઘણું છે.

ગોવિંદાએ મંદિરમાં પૂજા કરી હતી અને એ પછી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. ગોવિંદાએ બીજા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત પણ કરી હતી. આ મુલાકાત વખતે ગોવિંદાએ પીળો કુરતો અને સફેદ પાયજામો પહેર્યા હતા અને માથા પર તિલક લગાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2025 04:39 PM IST | Ujjain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK