"હું બધા બૉલિવુડ સેલિબ્રિટીઝને વિનંતી કરું છું કે કૃપા કરીને હિન્દુ તહેવારોની ઉજવણીને બગાડો નહીં, જો તમે અહીં ફિલ્મ પ્રમોશન માટે છો, તો કૃપા કરીને સમજો કે તે કયો તહેવાર છે અને તેનું મહત્ત્વ સમજો," X પર એક યુઝરે લખ્યું.
જાહ્નવી ભાજપના ધારાસભ્ય રામ કદમ સાથે દહીં હાંડી મટકી તોડતી જોવા મળી
મુંબઈમાં શનિવારે દહીં હાંડીની ઉજવણીની ધૂમ હતી. કેટલાક દહીં હાંડીનાં કાર્યક્રમમાં બૉલિવૂડના સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. આવા જ એક દહીં હાંડી ઉત્સવમાં બૉલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે પણ હાજરી આપી હતી. જાહ્નવી કપૂરનો હાંડી ફોડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો અને જાહ્નવીને જોવા માટે પણ લોકોની મોટી ભીડ ઉમટી હતી. જોકે આ કાર્યક્રમમાં જાહ્નવીએ હાંડી ફોડતી વખતે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, જેને લઈને હવે તેને રીતે જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. અભિનેત્રીએ કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મુંબઈના ઘાટકોપર ઉપનગરોમાં એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી, પરંતુ તેના આવું કરવાથી નેટીઝન વિભાજીત થઈ ગયા હતા.
Bharat mata ki jai ? In dahi handi ? ?? pic.twitter.com/74p8gzHLjT
— Jeet (@JeetN25) August 16, 2025
ADVERTISEMENT
એક વીડિયો જે હવે વાયરલ થઈ રહ્યો છે તેમાં, જાહ્નવી ભાજપના ધારાસભ્ય રામ કદમ સાથે દહીં હાંડી મટકી તોડતી જોવા મળી રહી છે. જ્યારે જાહ્નવી નારિયેળથી મટકી ફોડે છે, ત્યારે તેણે કહ્યું, ‘ભારત માતા કી જય!’, અને લોકોની ભીડે ખુશી વ્યક્ત કરી. પરંતુ થોડી જ વારમાં, આ વીડિયો ખોટા કારણોસર આખા ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. નેટીઝન્સે મજાક કરી કે અભિનેત્રી સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી વચ્ચે મૂંઝવણમાં પડી ગઈ છે, અને કેટલાકે તેને એક નિર્દોષ ભૂલ કહી છે, જ્યારે કેટલાકે તેને મૂર્ખ ભૂલ કહી છે.
"હું બધા બૉલિવુડ સેલિબ્રિટીઝને વિનંતી કરું છું કે કૃપા કરીને હિન્દુ તહેવારોની ઉજવણીને બગાડો નહીં, જો તમે અહીં ફિલ્મ પ્રમોશન માટે છો, તો કૃપા કરીને સમજો કે તે કયો તહેવાર છે અને તેનું મહત્ત્વ સમજો," X પર એક યુઝરે લખ્યું. બીજા એક નેટીઝને ઇન્સ્ટાગ્રામ પર ટિપ્પણી કરી, "આ અઠવાડિયે પ્રસંગો/ઉત્સવો વચ્ચે એટલી બધી ફરતી રહી કે તે તેમના નામ અને કારણો ભૂલી ગઈ."
View this post on Instagram
જાહ્નવીએ હજી સુધી ટ્રોલિંગ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી
આ દરમિયાન, શનિવારે રાત્રે આ કાર્યક્રમનો બીજો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો હતો જેમાં જાહ્નવીને ચાહકોની મોટી ભીડે ઘેરી લીધી હતી. જ્યારે તે કાર્યક્રમમાંથી બહાર જઈ રહી હતી ત્યારે લોકોએ તેને ઘેરી લીધી હતી અને તે થોડી મુશ્કેલીમાં જોવા મળી હતી. અભિનેત્રી થોડી અસ્વસ્થ દેખાઈ રહી હતી કારણ કે તેણીને ભીડ દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો.
View this post on Instagram
તેના ફિલ્મ કરિયરની વાત કરીએ તો, જાહ્નવી તેની આગામી ફિલ્મ, ‘પરમ સુંદરી’, ના રિલીઝ માટે તૈયારી કરી રહી છે, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે છે. તે એક પંજાબી છોકરા અને મલયાલમ છોકરી વચ્ચેની ક્રોસ-કલ્ચરલ લવ સ્ટોરી છે, અને કેવી રીતે તેમનો પ્રેમ તેમના મતભેદો પર વિજય મેળવે છે. ‘પરમ સુંદરી’ 29 ઑગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

