Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરે ‘રામાયણ’ માટે નૉન-વેજ છોડ્યું હોવાની વાત પબ્લિસિટી સ્ટન્ટ?

રણબીર કપૂરે ‘રામાયણ’ માટે નૉન-વેજ છોડ્યું હોવાની વાત પબ્લિસિટી સ્ટન્ટ?

Published : 26 November, 2025 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હાલમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ડૉક્યુમેન્ટરી ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’માં રણબીર ફિશ કરી, મટન અને પાયા જેવી નૉન-વેજ વાનગી ખાતો જોવા મળ્યો હતો એ પછી એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે રણબીરે ‘રામાયણ’ માટે નૉન-વેજ છોડ્યું હોવાની વાત સાવ ખોટી છે.

રણબીર કપૂર

રણબીર કપૂર


રણબીર કપૂર હાલમાં એક વિવાદમાં ફસાઈ ગયો છે. થોડા સમય પહેલાં રિપોર્ટ આવ્યો હતો કે રણબીરે તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ના શૂટિંગની શરૂઆત પહેલાં નૉન-વેજ ખાવાનું બંધ કર્યું છે. હકીકતમાં નિતેશ તિવારીની આ ફિલ્મમાં રણબીર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે અને એ માટે તે સાત્ત્વિક લાઇફસ્ટાઇલ ફૉલો કરી રહ્યો છે. એવી વાતો ફેલાઈ હતી. એવી પણ ચર્ચા હતી કે ભગવાન રામનો રોલ કરવા માટે રણબીરે સ્મોકિંગ પણ છોડ્યું છે અને હવે તે શિસ્તબદ્ધ જીવન જીવે છે, મેડિટેશન કરે છે અને મૉર્નિંગ વર્કઆઉટ પણ કરે છે.
જોકે હાલમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ડૉક્યુમેન્ટરી ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’માં રણબીર ફિશ કરી, મટન અને પાયા જેવી નૉન-વેજ વાનગી ખાતો જોવા મળ્યો હતો એ પછી એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે રણબીરે ‘રામાયણ’ માટે નૉન-વેજ છોડ્યું હોવાની વાત સાવ ખોટી છે. કેટલાક લોકો તો એને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2025 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK